શુક્રવારથી સૂર્ય ગુરુ બૃહસ્પતિની સેવામાં રહેશે

શુક્રવારથી સૂર્ય ગુરુ બૃહસ્પતિની સેવામાં રહેશે

16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ તારીખને લઈને પંચાંગમાં ભેદ પણ છે. થોડાં પંચાંગમાં સૂર્યના રાશિ પરિવર્તનની તારીખ 15 ડિસેમ્બર જણાવવામાં આવે છે. ધન સંક્રાંતિ પછી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી 2023) સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. આ સમયને ધનુર્માસ કહેવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ધન રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે, બૃહસ્પતિ સૂર્યના ગુરુ છે. તેમની રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરશે એટલે સૂર્ય હવે પોતાના ગુરુ બૃહસ્પતિના ઘરમાં રહેશે, તેમની સેવામાાં રહેશે.

ધનુર્માસમાં માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેતાં નથી
ધનુર્માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેતાં નથી. આ દિવસોમાં મંત્ર જાપ, દાન, નદી સ્નાન અને તીર્થ દર્શન કરવાની પરંપરા છે. આ પરંપરાના કારણે ધનુર્માસના દિવસોમાં બધી પવિત્ર નદીઓમાં સ્નાન માટે ઘણાં લોકો પહોંચે છે. સાથે જ પૌરાણિક મહત્ત્વ ધરાવતાં મંદિરમાં ભક્તોની સંખ્યા વધી જાય છે.

સૂર્ય એકમાત્ર પ્રત્યેક્ષ દેવતા અને પંચદેવોમાંથી એક છે. કોઈપણ શુભ કામની શરૂઆતમાં ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. જ્યારે સૂર્ય પોતાના ગુરુની સેવામાં રહે છે ત્યારે આ ગ્રહની શક્તિ ઘટી જાય છે. સાથે જ, સૂર્યના કારણે ગુરુ ગ્રહનું બળ પણ ઘટી જાય છે. આ બંને ગ્રહોની નબળી સ્થિતિના કારણે માંગલિક કાર્યો કરવાની સલાહ આપવામાં આવતી નથી. લગ્ન સમયે સૂર્ય અને ગુરુ ગ્રહ સારી સ્થિતિમાં હોય તો લગ્ન સફળ થવાની શક્યતાઓ ઘણી વધારે રહે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow