ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા મુલાકાતીઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગીર જંગલના મહાદેવ મંદિરમાં મુલાકાતીઓને મંજૂરી આપવા બાબતે અરજી કરવામાં આવી હતી અને જંગલના મંદિરોમાં 24 કલાક સુધી અવર-જવરની પરમિશન આપવાની માંગ કરવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ વિસ્તાર હોવાથી લોકો સૂર્યાસ્ત સુધી જ મુલાકાત લઈ શકે તેવું સરકારી વકીલએ જણાવ્યું હતું. આ મામલે ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર હાઇકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કાઇકોર્ટે કહ્યું કે ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, માણસો માટે નહીં. અરજદારની માગ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર HCની મહત્વની ટિપ્પણી

યાત્રાળુઓને જંગલના મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? તેવો સવાલ જરી હાઈકોર્ટે 3 સપ્તાહ માટે સુનાવણી મુલતવી રાખી છે. C.J અરવિંદ કુમાર અને જસ્ટિસ શાસ્ત્રીની બેંચ દ્વારા જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. 24 કલાક મંદિરમાં એન્ટ્રીની પરવાનગી જોઈએ તેવુ અરજદારએ અરજીમાં જણાવ્યું છે.

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે છે માણસો માટે નથી

વધુમાં હાઇકોર્ટે ફોરેસ્ટ એરિયામાં આવેલ મંદિરો અને યાત્રાળુઓને મંજૂરીની વિગતો માંગી યાત્રાળુઓને મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ CJ અરવિંદ કુમારએ કહ્યું કે ફોરેસ્ટ એરિયામાં સિંહો ફરશે, તમે નહી! તેમણે એવું પણ કહ્યું કે તમારે તેમના પ્રદેશમાં ફરવું હોય,તો તેઓ આપણા પ્રદેશમાં પણ ફરશે!

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow