ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા મુલાકાતીઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગીર જંગલના મહાદેવ મંદિરમાં મુલાકાતીઓને મંજૂરી આપવા બાબતે અરજી કરવામાં આવી હતી અને જંગલના મંદિરોમાં 24 કલાક સુધી અવર-જવરની પરમિશન આપવાની માંગ કરવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ વિસ્તાર હોવાથી લોકો સૂર્યાસ્ત સુધી જ મુલાકાત લઈ શકે તેવું સરકારી વકીલએ જણાવ્યું હતું. આ મામલે ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર હાઇકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કાઇકોર્ટે કહ્યું કે ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, માણસો માટે નહીં. અરજદારની માગ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર HCની મહત્વની ટિપ્પણી

યાત્રાળુઓને જંગલના મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? તેવો સવાલ જરી હાઈકોર્ટે 3 સપ્તાહ માટે સુનાવણી મુલતવી રાખી છે. C.J અરવિંદ કુમાર અને જસ્ટિસ શાસ્ત્રીની બેંચ દ્વારા જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. 24 કલાક મંદિરમાં એન્ટ્રીની પરવાનગી જોઈએ તેવુ અરજદારએ અરજીમાં જણાવ્યું છે.

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે છે માણસો માટે નથી

વધુમાં હાઇકોર્ટે ફોરેસ્ટ એરિયામાં આવેલ મંદિરો અને યાત્રાળુઓને મંજૂરીની વિગતો માંગી યાત્રાળુઓને મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ CJ અરવિંદ કુમારએ કહ્યું કે ફોરેસ્ટ એરિયામાં સિંહો ફરશે, તમે નહી! તેમણે એવું પણ કહ્યું કે તમારે તેમના પ્રદેશમાં ફરવું હોય,તો તેઓ આપણા પ્રદેશમાં પણ ફરશે!

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow