વિદેશી કંપનીઓ દેશના ઇવી માર્કેટમાં 30,000 કરોડનું જંગી રોકાણ કરશે

વિદેશી કંપનીઓ દેશના ઇવી માર્કેટમાં 30,000 કરોડનું જંગી રોકાણ કરશે

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો તેજીથી વધતો ઉપયોગ એ વિદેશી કંપનીઓ માટે મોટી તક સાબિત થશે, જેની પેટ્રોલ-ડીઝલ કાર ભારતના માર્કેટમાં સફળ રહી નથી. આવી કંપનીઓ માટે માર્કેટ પર રહેલી મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને તાતા મોટર્સ જેવી સ્થાનિક કંપનીઓની મજબૂત પકડ ઢીલી કરવી મુશ્કેલ રહ્યું છે. પરંતુ ઇવી સેગેમેન્ટમાં આ કંપનીઓને મોટી તક જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને વિદેશી કાર કંપનીઓ ભારતમાં 30,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા જઇ રહી છે.

એમજી મોટર ઇન્ડિયા, રેનો એસએ, નિસાન મોટર જેવી કંપની તેમજ ફોક્સવેગન જેવી કંપનીઓ ભારતીય માર્કેટને લઇને ખાસ રણનીતિ પર કામ કરી રહી છે. આ કંપનીઓએ પેટ્રોલિયમ કારનું વિસ્તરણ ઘટાડીને ઇવી પર ફોકસ વધારવાની યોજના બનાવી છે. દેશના લક્ઝરી ઇવી માર્કેટમાં ગ્લોબલ કંપનીઓ પહેલા જ અનેક મૉડલ લૉન્ચ કરી ચૂકી છે. વૉલ્વો કાર્સ, જેએલઆર અને સ્ટેલેન્ટિસ તેમાં સામેલ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow