યુવાનો માટે કદ- કાઠી તેમજ દેખાવ કરતાં પ્રામાણિકતા મહત્ત્વની!

યુવાનો માટે કદ- કાઠી તેમજ દેખાવ કરતાં પ્રામાણિકતા મહત્ત્વની!

પ્રેમ આંધળો છે, એવું કહેવાય છે પરંતુ જેન જી (18-26 વર્ષના યુવાનો)ની આંખ આ વિષયમાં સંપૂર્ણપણે ખુલ્લી છે. જૂની પેઢી કરતાં આજના યુવાનોને ચહેરા અને કદ-કાઠીનો મોહ નથી. યુવતીઓ માટે તો એ સહેજપણ મહત્ત્વનાં નથી. હવે સાથી મેળવવા માટે ‘ટૉલ, ડાર્ક એન્ડ હેન્ડસમ’ જેવાં લક્ષણો તેમની પ્રાથમિકતા નથી પરંતુ પ્રામાણિક અને પ્રતિબદ્ધ હોય તેવો સાથી પહેલી પસંદ છે. ડેટિંગ-નેટવર્કિંગ એપ બંબલના અહેવાલમાં આ માહિતી બહાર આવી છે.

સરવેમાં જોડાયેલા 32% યુવાનોએ કહ્યું કે પ્રેમનો આકાર નથી હોતો. એટલે કે કોઈ ચોક્કસ પ્રકારનો સાથી મળશે ત્યારે જ પ્રેમ થશે કે સંબંધ બંધાશે, એવું નથી હોતું. કારણ કે પ્રેમ માત્ર શારીરિક સૌંદર્ય નથી. એટલે યુવાનો પોતાને ગમે તેવો સાથી ન મળવા છતાં ડેટિંગ અને જીવનભર સાથે રહેવા તૈયાર છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વિચારોની આ મુક્તતા યુવાનો કરતાં યુવતીઓમાં વધુ પ્રાસંગિક છે. 41% યુવતીઓએ કહ્યું કે પોતાને ગમે તેવો હોય એ જ સારો સાથી, એવું નથી હોતું. જ્યારે આ વાત કહેનારા માત્ર 37% યુવાનો જ છે. 52% યુવાનો પ્રામાણિક અને સ્પષ્ટ સાથી ઇચ્છે છે.

સંબંધો વધારવા માટે આ એક જ શરત મહત્ત્વની છે. અહેવાલ પ્રમાણે જેન જી જીવનસાથી પસંદ કરવા અંગે વધુ પ્રામાણિક અને સંવેદનશીલ છે. આથી સ્ટેટસને પડકારવામાં પણ ખચકાટ નથી રાખતા. તેઓ પોતાની શરતો અને સુવિધા પ્રમાણે ડેટ કરે છે. સંબંધો બનાવવામાં સોશિયલ મીડિયા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 27% યુવાનોએ કહ્યું કે તેઓ પોતાના સાથી વિશે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવા ઇચ્છે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow