બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ હાજર રહ્યાં. રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. અલગ અલગ કેડરના પોલીસ સવાનો દ્વારા પરેડ યોજી તેમજ બાઈક સ્ટંટ તેમજ અશ્વ અને ડોગના કરતબ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.

74મો પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય કક્ષાના બોટાદ ખાતે શહેરના ત્રિકોણની ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત.

74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતેની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવ્યાં. તેમજ ચેતક કમાન્ડો સાથે અશ્વ તેમ જ ડોગ દ્વારા અદ્ભુત સ્ટંટ કરવામાં આવ્યાં. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ ડાન્સ રજૂ કરાયા.

‌બોટાદ ખાતે રાજ્યકક્ષાના આ પર્વની ઉજવણી સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા સમગ્ર દેશને તેમજ ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી. તેમજ આજના દિવસની આ ઉજવણીને લઈ દેશની આઝાદી સમયના સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા.

‌‌

‌‌

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow