પિતૃ પૂજાનું પર્વ

પિતૃ પૂજાનું પર્વ

લક્ષ્મી નારાયણ સંહિતા પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ પિતૃઓની ઉત્પત્તિ થઈ હતી. નારદ પુરાણ પ્રમાણે આ તિથિએ શ્રાદ્ધ સાથે પિતૃઓની પૂજા કરવાથી આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. આ તિથિ આ વખતે 25 નવેમ્બર, શુક્રવારના રોજ રહેશે.

આ દિવસે તીર્થ કે પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરીને પિતૃઓની પૂજા કરવાનું વિધાન છે. પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે. એટલે આ તિથિએ શ્રીકૃષ્ણ અને વિષ્ણુ પૂજા કરવાનું પણ મહત્ત્વ છે.

ચાંદી કે તાંબાના લોટામાં પાણી, દૂધ, જવ, તલ, ચોખા અને સફેદ ફૂલ મિક્સ કરો. આ પાણી હથેળીમાં લઈને અંગૂઠા તરફથી પિતૃઓ માટે કોઈ વાસણમાં છોડો. આ સાથે જ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરો. આવું પાંચ કે અગિયાર વખત કરો. તે પછી આ જળ પીપળામાં ચઢાવી દો.

માગશર અમાસના દિવસે શક્ય હોય તો વ્રત રાખો અને ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરો. સવારે જલ્દી તાંબાના લોટામાં પાણી, દૂધ, અક્ષત, જવ અને તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવો અને ઘીનો દીવો પ્રગટાવવો. તે પછી પીપળાની પરિક્રમા કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે.

માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ, આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પરેશાનીઓથી મુક્તિ મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow