એનરિક નોર્કિયા- સિસાંડા મગાલા વર્લ્ડ કપમાંથી બહાર

એનરિક નોર્કિયા- સિસાંડા મગાલા વર્લ્ડ કપમાંથી બહાર

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા અને સિસાંડા મગાલા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને એન્ડીલે ફેહલુકવાયો અને લિઝાડ વિલિયમ્સને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થવાનો છે. દક્ષિણ આફ્રિકા 7 ઓક્ટોબરે દિલ્હીમાં શ્રીલંકા સામે વર્લ્ડ કપમાં પહેલી મેચ રમશે.

નોર્કિયા પીઠમાં સમસ્યા
નોર્કિયાને પીઠની સમસ્યા છે. તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થવાની સંભાવના છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ODI હોમ સિરીઝમાં તેને ફક્ત એક જ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ODI શ્રેણીની બીજી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

નોર્કિયા આ મેચમાં જ પોતાની ઓવરનો ક્વોટા પૂરો કરી શક્યો નહોતો. તે માત્ર 5 ઓવર જ ફેંકી શક્યો હતો. ત્રીજી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. બાદમાં તે શ્રેણીમાંથી જ બહાર થઈ ગયો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow