એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીના પુત્ર ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. આજે વહેલી સવારે 3.45 વાગ્યા આસપાસ એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ડો. જીગર દેસાણી હેમુગઢવી હોલ નજીક કારમાં શંકાસ્પદ હાલતમાં હોવાથી પોલીસે ચેક કરતા ડો. જીગર દેસાણી નશાની હાલતમા હોવાનું સામે આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિજય દેસાણી રાજકોટ શહેર ભાજપના આગેવાન છે અને તેમના પુત્ર વિરુધ્ધ એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અગાઉ ગત સપ્તાહ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેર વોર્ડ નંબર 10ના યુવા મોરચાના પ્રમુખ મોનીલ શાહ વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વજુભાઈ ભરતભાઈ ડાભીએ ફરિયાદી બની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.14.07.2025ના રાત્રે 8 વાગ્યાથી તા.15.07.2025 સવારે 8 વાગ્યા સુધી હું મારી નોકરી પર હાજર હતો. મારી નોકરી પી.સી.આર વાહનમાં હતી અને પી.સી.આર વાહનમાં રાત્રે 12 વાગ્યાથી હું તથા ડ્રાઇવર હોમગાર્ડ જયભાઇ દીલીપભાઈ નીમાવત અમારા એ.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન સવારે 3.45 વાગ્યે હેમુ ગઢવી હોલ પાછળના ભાગે નાલા પાસે પહોચતા એક વરના કાર જીજે.12.ડીજી.8574 શંકાસ્પદ હાલતમાં ઉભી હતી તેમા ડ્રાઇવર સીટ ઉપર એક વ્યક્તિ અને તેની બાજુની સીટ પર એક બહેન બેસેલ હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow