ચીન પર 'આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક'! બજેટમાં આ મોટું એલાન કરી શકે છે મોદી સરકાર

ચીન પર 'આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક'! બજેટમાં આ મોટું એલાન કરી શકે છે મોદી સરકાર

ભારત અને ચીનના સંબંધો દિવસેને દિવસે ખૂબ ખરાબ થતાં જઈ રહ્યા છે, પહેલા ડોકલામ અને હવે તવાંગમાં પણ બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ છે ત્યારે ભારત હવે ચીન પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે.

બિઝનેસમાં ભારત ચીનને આપશે ઝટકો
ભારત અને ચીનના સંબંધો ભલે ખરાબ હોય પરંતુ બિઝનેસમાં તો પણ ભારતમાં હજારો કરોડ રૂપિયાના સામાનની આયાત ચીનમાંથી થાય છે. નાની ચમચીથી લઈને મોટા મશીન સુધી અનેક વસ્તુઓની આયાત ચીનમાંથી જ કરવામાં આવે છે. જોકે મોદી સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનો કોન્સપેટ આપીને ભારતમાં જ ઉત્પાદન વધારવાની નીતિ લાવવામાં આવી છે, આ સિવાય કોરોના વાયરસના કારણે ચીનમાંથી અનેક કંપનીઓ બંધ થઈ રહી છે અને ભારત આવી રહી છે. આટલું જ નહીં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર પણ ચાલી રહ્યો છે જેનો લાભ પણ ભારતને થઈ રહ્યો છે.

બજેટમાં થઈ શકે છે મોટા એલાન
હવે મોદી સરકાર ચીન પર આર્થિક પ્રહાર કરવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. ચીનથી થતી આયાતને ઓછી કરવા માટે આગામી બજેટમાં કોઈ મોટું એલાન કરવામાં આવી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં દાવા અનુસાર ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર દ્વારા સંકેત આપવામાં આવ્યા છે.

તૈયાર માલની આયાત પર લાગી શકે છે રોક
ચીનથી સીધી જ આયાત થતી કેટલી તૈયાર વસ્તુઓ પર રોક લાગી શકે છે, ચીન માટે આ નિર્ણય ખૂબ મોટો ઝટકો સાબિત થશે કારણ કે ભારત ચીન માટે એક ખૂબ મોટું માર્કેટ છે. બની શકે કે મોદી સરકાર ચીનમાંથી કાચા માલની આયાત ચાલુ રાખે પણ તૈયાર માલ પર કોઈ પ્રકારની રોક લગાવવામાં આવે.

નોંધનીય છે કે અત્યાર સુધી ભારતે ચીનની 100 ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યો છે જેમઆઆ પોલિસ્ટર, સોલર સેલ, ટાઇલ્સ, લેન્સ જેવી અનેક આઇટમો છે. આંકડાઓ અનુસાર ઓકટોબર 2022માં ભારતમાં ચીનની આયાત 9.73 ટકા સીધી ઘટી છે. જેના કારણે ચીનને અબજો ડોલરનો ફટકો પડ્યો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow