શિયાળામાં ખાવ વિટામિન-મિનરલ્સથી ભરપૂર જાણીતું આ ફળ, શરીરની ઈમ્યુનિટીમાં થશે ગજબનો વધારો

શિયાળામાં ખાવ વિટામિન-મિનરલ્સથી ભરપૂર જાણીતું આ ફળ, શરીરની ઈમ્યુનિટીમાં થશે ગજબનો વધારો

શિયાળામાં ચીકુનું સેવન કરવાથી થાય છે ખૂબ ફાયદો

ચીકુ કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ જેવાં મિનરલ્સથી ભરપૂર હોય છે. સૌથી ખાસ વાત છે કે આટલા પોષક તત્ત્વથી ભરપૂર હોવા છતાં ચીકુ ખૂબ સસ્તાં હોય છે. શિયાળામાં ચીકુનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે.

ઇમ્યુનિટી વધારે

ચીકુ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ હાજર હોય છે, જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ચીકુ ખાવાથી શરદી-ઉધરસથી પણ રાહત મળે છે.

હાડકાં મજબૂત બનાવે છે

ચીકુ હાડકાં માટે પણ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવાં મિનરલ્સ હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે. ચીકુ ખાવાથી હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થતો નથી.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

ચીકુમાં મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાણીમાં ચીકુ ઉકાળીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ચીકુ બ્લડ પ્રેશર માટે પણ ફાયદાકારક છે.

વજન ઘટાડે છે

ચીકુમાં રહેલ પોષક તત્ત્વ વજન ઘટાડે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે. ચીકુ ખાવાથી મેટાબોલિઝ્મ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તેને ખાવાથી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે.

સ્કિન માટે ફાયદાકારક

ચીકુમાં વિટામિન ઈ અને વિટામિન સી હોય છે, જે સ્કિન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્કિનને અંદરથી પોષણ આપે છે. ચીકુ ખાવાથી સ્કિન ડ્રાય થતી નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow