પેટની દરેક મુશ્કેલીઓ માટે વરદાન સમાન છે સૂકી કાળી દ્રાક્ષ! શિયાળામાં દૂધની સાથે કરો સેવન, પછી જુઓ ચમત્કાર

પેટની દરેક મુશ્કેલીઓ માટે વરદાન સમાન છે સૂકી કાળી દ્રાક્ષ! શિયાળામાં દૂધની સાથે કરો સેવન, પછી જુઓ ચમત્કાર

શિયાળો આવી ગયો છે. આ ઋતુમાં અલગ અલગ પ્રકારના રોગોનો ખતરો વધી જાય છે. ભેજને કારણે ફૂગ અને બેક્ટેરિયાના વિકાસ માટે શિયાળાની ઋતુ શ્રેષ્ઠ છે. જેના કારણે ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ફૂગ અને બેક્ટેરિયા ઘણા રોગોનું કારણ બને છે.

કાળી સૂકી દ્રાક્ષ તમને આ બીમારીઓથી રાહત આપી શકે છે. તેમાં પોલીફેનોલ્સ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ્સ, પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે દૂધ સાથે સૂકી દ્રાક્ષનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

કાળી સૂકી દ્રાક્ષના ફાયદા
કાળી સૂકી દ્રાક્ષમાં હાજર ફાઈબર પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તેના ઉપયોગથી ગેસ, સોજા, પેટ ફૂલવું, કબજિયાત અને અપચો જેવી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. તે શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. તેની સાથે આંતરડાનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે.

પાણીમાં પલાળીને કરો સુકી દ્રાક્ષનું સેવન
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે કાળી સૂકી દ્રાક્ષ ડાયાબિટીસ, અલ્ઝાઈમર, કેન્સર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને તે પાણી ખાવા-પીવાથી શરીર ફિટ રહે છે.

પેટ સાફ કરવામાં કરે છે મદદ
કાળી સૂકી દ્રાક્ષનું પાણી કબજિયાત મટાડી પેટને સાફ કરવામાં મદદ કરે છે. તે પાચન સંબંધી રોગોમાં દવા તરીકે પણ વપરાય છે. કાળી સૂકી દ્રાક્ષમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ત્વચાને સુધારે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે કાળી દ્રાક્ષ
વિટામિન સીના કારણે કાળી સૂકી દ્રાક્ષ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સૂકી દ્રાક્ષને દૂધ સાથે ગરમ કરીને તે દૂધ પીવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow