રોજ ખાંડ વગરની 4 કપ ચા પીવી ફાયદાકારક, ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 17% સુધી ઘટે છે

રોજ ખાંડ વગરની 4 કપ ચા પીવી ફાયદાકારક, ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 17% સુધી ઘટે છે

જો તમે ચા કે કોફી પીવાના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. જે લોકો આખા દિવસમાં 4 કપથી વધુ ચા પીવે છે તેમને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. સતત 10 વર્ષ સુધી આ કરવાથી ડાયાબિટીસનું જોખમ 17% સુધી ઘટી જાય છે. જેમાં બ્લેક, ગ્રીન તથા અન્ય પ્રકારની ચા પણ સામેલ છે. જોકે, ખાંડ વગરની ચા પીવાથી આ ફાયદો હજુ વધી જાય છે.

દૂધવાળી ચા પણ બ્લેક ટી જેટલી ફાયદાકારક


તાજેતરમાં ચીનની વુહાન યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. અગાઉ થયેલા બીજા 17 રિસર્ચને ટાંકીને વુહાન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના શિયાયિંગ લીએ કહ્યું હતું કે, અગાઉના રિસર્ચમાં બહાર આવ્યું હતું કે ચામાં દૂધ ભેળવવાથી ચાના ફાયદા ઘટી જાય છે, પણ આ નવા રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે દૂધવાળી ચા પણ બ્લેક ટી જેટલી જ ફાયદાકારક છે. એક અન્ય મેટા-વિશ્લેષણમાં અમેરિકા, એશિયા કે યુરોપના 8 દેશના અંદાજે 11 લાખ પુખ્તોને આવરી લેવામાં આવ્યા હતા. તેનાથી સામે આવ્યું કે ચા ન પીતા લોકોની સરખામણીમાં રોજની એક, બે કે ત્રણ કપ ચા પીતા લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 4% ઘટી જાય છે.

જે લોકો રોજની 4 કપ કે તેથી વધુ ચા પીતા હોય તેમને આ જોખમ 17% ઘટી જાય છે. નોંધનીય છે કે ભારતમાં દર 11માંથી 1 વ્યક્તિ ડાયાબિટીસ પેશન્ટ છે. તેમાંથી 90-95% લોકોને ટાઇપ-2 ડાયાબિટીસ છે જ્યારે બ્રિટનના 40 લાખ ડાયાબિટીસ પેશન્ટમાંથી 90%ને ટાઇપ-2 ડાયાબિટીસ છે.

કોફી પીવાથી મોતનું જોખમ 16થી 21% સુધી ઘટે
કોફી પીવાથી મોતનું જોખમ ઘટી જાય છે. બ્રિટનના 1.71 લાખથી વધુ લોકોમાં થયેલા રિસર્ચમાં આ બાબત સામે આવી છે. 7 વર્ષ સુધી ખાંડ વગરની કોફી રોજ દોઢથી 3.5 કપ પીવાથી મોતનું જોખમ 16થી 21% સુધી ઘટી જાય છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow