શિયાળામાં ફેફસાને હેલ્ધી રાખવા માટે દરરોજ પીવો આ જ્યુસ, નહીં થાય શ્વાસ સાથે જોડાયેલી કોઈ પણ મુશ્કેલી

શિયાળામાં ફેફસાને હેલ્ધી રાખવા માટે દરરોજ પીવો આ જ્યુસ, નહીં થાય શ્વાસ સાથે જોડાયેલી કોઈ પણ મુશ્કેલી

શિયાળાની ઋતુમાં ફેફસાને લગતી સમસ્યાઓ વધવા લાગે છે. જેથી તમારે તમારા ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ત્યાં જ જો તમને ફેફસાને લગતી સમસ્યા છે તો તમારે આહારમાં અમુક જ્યુસને સામેલ કરવો જ જોઈએ. એવામાં અમે તમને અહીં જણાવીશું કે કયા જ્યુસનું સેવન કરીને તમે તમારા ફેફસાંને સ્વસ્થ રાખી શકો છો?

લીલા-શાકભાજીનો જ્યુસ
લીલા-શાકભાજીનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માટે તમે પાલક અને મેથી જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

બીટ અને ગાજરનો જ્યુસ
બીટ અને ગાજરનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે ફેફસાંને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. સાથે તેઓ મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વોથી પણ સમૃદ્ધ છે. જેના કારણે ફેફસાં પણ સારી રીતે કાર્ય કરે છે.

સફરજનનો જ્યુસ
સફરજનનો જ્યુસ ફેફસાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે વિટામિન A, એન્ટિઓક્સિડન્ટ્સ ક્વેર્સેટિનનો પણ સારો સ્ત્રોત છે. જેના કારણે તે ફેફસાને થતા નુકસાનને ઓછું કરવાની સાથે સાથે ફેફસાને ડિટોક્સ કરવાનું કામ કરે છે.

ટામેટાનો જ્યુસ
ટામેટા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સોજાને દૂર કરવા અને શ્વાસ લેવાની પ્રક્રિયાને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. જો તમે ટામેટાના જ્યુસનું સેવન કરો છો તો ફેફસાના નુકસાનને ઓછુ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow