ઠંડીની સિઝનમાં ભૂલથી પણ વધુ માત્રામાં ઇંડા ન ખાતા, નહીં તો ઊભી થશે અનેક સમસ્યા

ઠંડીની સિઝનમાં ભૂલથી પણ વધુ માત્રામાં ઇંડા ન ખાતા, નહીં તો ઊભી થશે અનેક સમસ્યા

શરદી હોય કે ગરમી ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ હેલ્ધી ફૂડ સ્વાસ્થ્યને નુકશાન પણ પંહોચાડી શકે છે? વધુ ઈંડા ખાવાથી શરીરને ઘણું નુકશાન પંહોચે છે.

ઈંડામાં પ્રોટીન, વિટામીન B12 અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે પણ આ ખોરાકને લિમિટમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ઈંડાનું વધુ સેવન કરો છો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

લૂઝ મોશન
ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે એવામાં જો એક દિવસમાં વધુ ઈંડાનું સેવન કરવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને લૂઝ મોશન પણ થઈ શકે છે. જણાવી દઈએ કે જીમમાં જનારા લોકો ખાસ કરીને ઈંડાનો સફેદ ભાગ જ ખાય છે.

હાર્ટ એટેકનો ખતરો
એક અહેવાલ મુજબ ઈંડાનું વધુ પડતું સેવન શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.  એટલે ખરાબ કોલેસ્ટ્રોલના વધારાને અવગણવાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી જાય છે.

ગેસની સમસ્યા
ઈંડામાં ખાવામાં સૌથી મોટી તકલીફ એ છે કે તેનાથી શરીરમાં ગેસની સમસ્યા થાય છે. ટ્રેન્ડને અનુસરવા લોકો શોખ માટે ત્રણથી ચાર ઈંડાની ઓમલેટ ખાય છે અને એ પછી ગેસને કારણે માથામાં કે અન્ય ભાગોમાં દુખાવાના શિકાર બને છે.

બ્લડ શુગર લેવલ
શું તમે જાણો છો કે સુપરફૂડ તરીકે ગણાતા ઈંડા શરીરમાં ઈન્સ્યુલિનને ડિસ્ટર્બ કરી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલ વધી શકે છે અને જો આ સમસ્યા ચાલુ રહે તો ડાયાબિટીસ પણ થઈ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow