શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુના ક્રોધથી મળી જાય છે મુક્તિ? જાણો રહસ્ય

શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુના ક્રોધથી મળી જાય છે મુક્તિ? જાણો રહસ્ય

પગમાં કાળો દોરો ધારણ કરવાથી શું ફાયદો થઇ શકે?

તમે ઘણા બધા લોકોને અવાર-નવાર પોતાના પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. તેમાંથી ઘણા લોકો ફેશન સ્વરૂપે પગમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પરાલૌકિક સમસ્યાના સમાધાન માટે આ ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ મજબૂત થઇ શકે છે. જો તમે પગમાં કાળો દોરો ધારણ કરો તો જીવનમાં આવતી સમસ્યાઓ કઈ રીતે દૂર થઇ શકે

પગમાં કાળો દોરો પહેરવાના ફાયદા

રાહુ-કેતુને મજબૂત બનાવવા માટે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ નબળી હોય, તેમણે કોઈ એક પગમાં કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુ-કેતુ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થવા લાગે છે.

શનિનો પ્રભાવ થાય છે ઓછો

શનિ દેવને ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. જેના પર ક્રોધિત થાય છે, તેમના જીવનમાં શનિની ઢૈયા અને સાડાસાતી શરૂ થતા વાર લાગતી નથી. માન્યતા છે કે પગમાં કાળો દોરો બાંધવાથી શનિ દેવ રાજી રહે છે, જેનાથી આંતરિક કલહ અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળી જાય છે.

પુરૂષો કયા પગમાં ધારણ કરે દોરો

જ્યોતિષ વિદ્ધાનો મુજબ પુરૂષ જો પગમાં કાળો દોરો બાંધવા માંગે છે તો તેમણે મંગળવારે જમણા પગમાં તેને ધારણ કરવો જોઈએ. આમ કરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત રહે છે. આ સાથે રાહુ-કેતુ પણ પરેશાન કરતા નથી.

મહિલાઓ આ પગમાં પહેરે કાળો દોરો

મહિલાઓ જો પગમાં કાળો દોરો બાંધવા માગે છે તો તેના માટે ડાબા પગમાં દોરો પહેરવો યોગ્ય રહે છે. મહિલાઓએ આ દોરાને શનિવારે પગમાં ધારણ કરવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને હેલ્થ સારું રહે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow