શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી શરીરને થાય છે આવા નુકસાન

શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી શરીરને થાય છે આવા નુકસાન

વધુ પડતી નિંદર સ્વાસ્થ્ય માટે હાનિકારક: સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ પૂરતી માત્રામાં લેવીએ ખુબજ આવશ્યક છે, સ્વાસ્થ્ય ચિકિત્સકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે દિવસ દરમિયાન 7/8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.  

જેનાથી દિવસ આખાનો થાક દૂર થઈ જાય છે અને શરીર તાજગી અનુભવે છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડે છે એવીજ રીતે વધુ પડતી ઊંઘ પણ ઘાતક નીવડે છે.

વધુ પડતી ઊંઘથી થતાં નુકસાન
1. હૃદય રોગ
જો તમે 8 કલાકની ઊંઘ બાદ પણ નથી ઉઠતાં તો તમારે એલાર્મ લગાવું જોઈએ અથવા ઘરના લોકોની મદદ લેવી જોઈએ કે તેઓ તમને જગાડે. કારણકે વધુ પડતી ઊંઘના લીધે તમને હૃદયરોગ થઈ શકે છે.

2. માથાનો દુખાવો
જો તમે જરૂર પડતી ઊંઘ લેતા હોવ છો તો તમારો દિવસ દરમિયાનનો થાક ઉતરી જશે અને તમે શરીરમાં તાજગી અનુભવશો પણ વધુ પડતાં ઊંઘતા રહેવાથી માથામાં દુખાવો થઈ શકે છે. તેથી વધુ ઊંઘવાની આદત બદલવી જરૂરી છે.

3. ડિપ્રેશન
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઔછી માત્રા માં ઊંઘ લેવાથી તનાવ વધી શકે છે પરંતુ વધુ પડતી ઊંઘના લીધે પણ લોકો ડિપ્રેશનનો શિકાર બને છે.

4. વજન વધવું
જ્યારે તમે એક માત્રા કરતાં વધુ ઊંઘતા હોવ તો તમે ધીમે-ધીમે આળસુ થવા લાગો છો જેથી તમારી શારીરિક પ્રવૃતિઓ બંધ થવા લાગશે જેના લીધે તમારા શરીરનું વજન ધીમે-ધીમે વધવા લાગશે. વધતું વજન ઘણી બીમારીઓને નોતરું આપે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow