ભૂલથી પણ ઘરની છત પર આ ચીજવસ્તુઓ ના મૂકતા, નહીં તો પરિવારમાં વધશે કંકાસ

ભૂલથી પણ ઘરની છત પર આ ચીજવસ્તુઓ ના મૂકતા, નહીં તો પરિવારમાં વધશે કંકાસ

જીવનમાં બનતી ઘટનાઓ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ હોય છે અને એટલા માટે જ આજે અમે તમને ઘરની છત પર રાખવામાં આવેલી નકામી વસ્તુઓ એટલે કે કચરા સાથે જોડાયેલ વાસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર પરિવારમાં સુખ અને પ્રગતિનું મુખ્ય કારણ પણ વાસ્તુ છે. જે ઘરોમાં વાસ્તુના નિયમોને નકારીને કામ કરવામાં આવે તો ઘરમાં એક કે બીજી કોઈ સમસ્યા થતી રહે છે. ઘરના વિવાદોથી લઈને પૈસાની તંગી વાસ્તુ દોષનું પરિણામ હોઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો વિચારજો કે શું તમારે ઘરની છત પર બિનજરૂરી વસ્તુઓ રાખવી જોઈએ? આવો અમે તમને આ વિશે જણાવીએ.

ઘરમાં થઈ શકે છે કલેશ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર કોઈ બિનજરૂરી વસ્તુઓ કે કચરો ન રાખવો જોઈએ આવું  કરવાથી પરિવારના સભ્યોના મન પર નકારાત્મક અસર પડે છે અને આ ઉપરાંત પિતૃ દોષનો પણ અનુભવ થાય છે.  છત પર રાખેલ બિનજરૂરી વસ્તુઓ કે કચરાને કારણે આખા ઘરનું વાતાવરણ બગડી જાય છે અને ઘરમાં ઝઘડાનું કારણ પણ બની શકે છે. એટલા માટે જો તમારા ઘરની છતમાં નકામો કચરો લાંબા સમયથી પડી રહ્યા છો, તો તેને ઘરની બહાર કરો.

ખાસ કરીને આ વસ્તુ ન રાખો છત પર

વાંસ
વાંસ અથવા વાંસની બનેલી કોઈ વસ્તુઓને ક્યારેય છત પર ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરનું વાતાવરણ હંમેશા બગડે છે આવી વસ્તુઓ ઘરની બહાર રાખવાનો પ્રયાસ કરો.

કાટ લાગેલ વસ્તુઓ
ઘરની છત પર કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ જણાવી દઈએ કે આ વાસ્તુ દોષને કારણે આર્થિક મોરચે તમારી સમસ્યાઓ વધી શકે છે. ઉપરાંત ઘરની છત પર કાટ લાગી ગયેલી લોખંડની વસ્તુઓ રાખવાથી પણ શનિદેવ ગુસ્સે થઈ શકે છે.

કાંટાદાર છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. આવા છોડ વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે.

તૂટેલા કુંડા
ઘણીવાર જોવા મળ્યું હશે કે કેટલાક લોકો ઘરની છત પર તૂટેલા કુંડામાં રોપા લગાવે છે પણ વાસ્તુમાં આવું કરવું ખોટું છે. છત પર મૂકેલા કુંડા આખા અને સારી સ્થિતિમાં હોવા જોઈએ.

સાવરણી
આ બધા સિવાય ઘરની છત પર ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. કહેવાય છે કે ખાલી છત પર સાવરણી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને શાસ્ત્રોમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow