આ ફળોની છાલ ઉતારીને તેને ખાવાની ભૂલ ના કરશો, નહીંતર નહીં મળે પોષણ

આ ફળોની છાલ ઉતારીને તેને ખાવાની ભૂલ ના કરશો, નહીંતર નહીં મળે પોષણ

ફળની છાલમાં પોષણનો ખજાનો છુપાયેલો હોય છે

ફળ સૌથી આરોગ્યપ્રદ વસ્તુઓમાં સામેલ હોય છે. વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાઈબર જેવા ઔષધિય ગુણોથી ભરપૂર ફળ સંપૂર્ણ રીતે ફાયદાકારક હોય છે. જેટલુ જરૂરી ફળ ખાવુ હોય છે, એટલું જ જરૂરી ફળ ખાવાની સાચી રીત જાણવી જરૂરી છે. જો ખોટી રીતે ફળનુ સેવન કરવામાં આવે તો તેનુ પુરૂ પોષણ મળતુ નથી. અમુક લોકો ફળની છાલ ઉતારીને ખાય છે. આ પપૈયા અને તરબૂચ જેવા ફળો માટે તો સારું છે, પરંતુ કેટલાંક ફળની છાલમાં પોષણનો ખજાનો છુપાયેલો હોય છે. આવા ફળની છાલને હટાવી ભૂલ હશે. આવો જાણીએ કયા ફ્રૂટ્સની છાલ ઉતારીને ના ખાવી જોઈએ.

કીવી

કીવી ખૂબ હેલ્થ માટે સારું છે. જેની છાલ પણ વધુ ગુણકારી છે. કીવીની છાલ જાડી હોય છે. જેના કારણે ઘણા લોકો છાલને ઉતારીને ફેંકી દે છે. જેની છાલમાં વિટામિન અને ઘણા મિનરલ્સ રહેલા છે, જે આરોગ્યને ફાયદો પહોંચાડે છે.

ચીકૂ

મોટાભાગના લોકો ચીકુની છાલ ઉતારીને ખાવાનુ પસંદ કરે છે. જો કે, તેની છાલ ઉતારવી મુશ્કેલ હોય છે, પરંતુ પછી લોકો વિચારે છે કે તેને ખાવાનો કોઈ અર્થ નથી અને ચીકૂની છાલને ઉતારીને ફેંકી દે છે. ચીકૂની છાલ ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે.

નાશપતી

નાશપતી લોકો આરામથી ખાય છે. જેના ફળની સાથે છાલનુ સેવન પણ અવશ્ય કરવુ જોઈએ. નાશપતીની છાલમાં એન્ટીઑક્સિડેન્ટ્સ રહેલા હોય છે, જે હેલ્થ માટે ફાયદાકારક છે. નાશપતીની છાલ હાર્ટ માટે લાભદાયી હોય છે.

સફરજન

સફરજન તો લગભગ દરેક બિમારીમાં ખાવામાં આવે છે. ઘણા લોકો સફરજનની છાલ ઉતારીને ખાવાનુ પસંદ કરે છે, કારણકે આમ કરવુ યોગ્ય નથી. સફરજનની છાલમાં રહેલા પોષક તત્વ બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow