તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાય તો એલર્ટ થઇ જજો

સનાતન ધર્મમાં ઘણા બધા એવા છોડ છે, જેની ધાર્મિક માન્યતાઓ મુજબ પૂજા-પાઠ કરવામાં આવે છે.  

જેની સાથે ઘરે તુલસીનો છોડ મુકવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીનો છોડ તમારા ઘરની શાંતિ અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે.  

આ સાથે તુલસીનો આ છોડ તમને સારું-ખરાબ થવાનો પણ સંકેત આપે છે. તમે વારંવાર જોયુ હશે કે તુલસીનો હર્યોભર્યો છોડ અચાનક સુકાઈ જાય અથવા પછી તુલસીના પાન ખરવા લાગે છે, જે ઘર પર અથવા કોઈ સભ્ય પર દુર્ઘટના થવાના એંધાણ આપે છે.  

તુલસીનો છોડ સુકાવાના સંકેત

ઘણા લોકો પોતાના ઘરે તુલસીનો છોડ મુકીને તેની પૂજા કરે છે. પરંતુ છોડની યોગ્ય સારસંભાળ ના કરવાથી, વધારે અથવા ઓછુ પાણી આપવાથી અથવા પછી ઠંડી વધુ હોવાના કારણે તુલસીનો છોડ સુકાવા લાગે છે.  

પરંતુ ઘરમાં લગાવેલો લીલો છોડ અચાનકથી સુકાવા લાગે તો આ ભવિષ્યમાં ઘટવાની કોઈ મોટી અનહોનિના એંધાણ આપે છે.  

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ સંકેત આ વાત તરફ ઈશારો કરે છે કે તમારા ઘરે વિષ્ણુજીની કૃપા નથી. ધાર્મિક કથાઓ મુજબ, તુલસી શ્રીકૃષ્ણ એટલેકે વિષ્ણુજીને અતિપ્રિય છે.  

શ્રીકૃષ્ણના ચરણમાં તુલસી અર્પણ કરવી શુભ માનવામાં આવી છે. એવામાં તુલસી સુકાય તો તેને નજરઅંદાજ ના કરો.

ઉપાય

  1. તુલસીના છોડને નિયમિત જળ આપો.
  2. સવાર-સાંજ દીવો પ્રગટાવો.
  3. તુલસીના છોડને સાફ અને સ્વચ્છ હોય ત્યારે જ સ્પર્શ કરો.
  4. વધુ સમય સુધી ઠંડા અથવા ગરમ સ્થાન પર ના રાખો.
  5. જો છોડ વારંવાર સુકાઈ રહ્યો છે તો છોડને ઘરમાંથી હટાવી દો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow