લાખો રૂપિયા આપીને નકલી iPhone તો લાવ્યાં નથી ને? માત્ર 5 મિનિટમાં આ રીતે કરો ચેક

લાખો રૂપિયા આપીને નકલી iPhone તો લાવ્યાં નથી ને? માત્ર 5 મિનિટમાં આ રીતે કરો ચેક

તમારો આઈફોન અસલી છે કે નહીં, આ રીતે જાણો

આજે આઈફોનના સૌથી કિમતી મૉડલની કિંમત આશરે રૂ. 50,000થી શરૂ થઇને રૂ. 1,50,000 સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો પૈસા ખર્ચ કર્યા બાદ પણ તમને અસલી આઈફોન મળશે આ વાતની કોઈ ગેરંટી નથી. કારણકે આઈફોન સ્કેમ માર્કેટમાં ઝડપથી ફરી રહ્યું છે અને આ જ કારણ છે કે લોકોને હવે આઈફોન ખરીદવામાં ડર લાગી રહ્યો છે. આજે અમે તમને અમુક એવી સરળ ટીપ્સ આપવા જઇ રહ્યાં છે, જેના કારણે તમે ચેક કરી શકો છો કે તમારો આઈફોન મૉડલ અસલી છે કે નહીં.

સૌથી પહેલા ડિઝાઈન પર નાખો નજર

જેમકે તમે બધા જાણો છો કે આઈફોનની ડિઝાઈન કોઈ અન્ય સ્માર્ટ ફોનની તુલનામાં ઘણુ વધારે યુનિક છે અને તેને તૈયાર કરવામાં ફર્નિશિંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તમે આઈફોનનુ કોઈ પણ મૉડલ ખરીદ્યુ હોય પરંતુ તેમાં ફર્નિશિંગની સમસ્યા આવી રહી છે તો શંકા થાય તે સ્વાભાવિક છે. કારણકે એપલ આવી ભૂલ કરતુ નથી તો એવામાં તમારી સાથે ફ્રોડ થવાનો ડર છે.

ડિસ્પ્લેની સ્મૂધનેસ

જેમ કે અમે તમને જણાવ્યું આઈફોન સ્પીડ મામલામાં ભારતમાં રહેલા અન્ય ઘણા સ્માર્ટ ફોનથી ઘણુ વધારે સારું છે. એવામાં જો ડિસ્પ્લે પર સ્ક્રોલિંગ કરતી વખતે તમને સ્પીડની સમસ્યા થાય છે અથવા ફરીથી ડિસ્પ્લે હેન્ગ થાય છે તો સમજો કે દાળમાં કઈક કાળુ છે.

બેટરી બેકઅપ ચેક કરવુ છે જરૂરી

સામાન્ય રીતે આઈફોનનુ કોઈ પણ મૉડલ સારી બેટરી ઑફર કરે છે, એવામાં જો બેટરીની લાઈફ 2 થી 3 કલાકમાં પૂરી થાય છે તો આ વાતના અણસાર છે કે તમને નકલી આઈફોન પકડાવી દેવામાં આવ્યો છે અને તમારે તેને બદલાવીને અસલી આઈફોન ખરીદવાનો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow