સંબંધ પૂરો કરવા છતાં પીછો કરતા પ્રેમીના ત્રાસથી યુવતીએ વખ ઘોળ્યું

સંબંધ પૂરો કરવા છતાં પીછો કરતા પ્રેમીના ત્રાસથી યુવતીએ વખ ઘોળ્યું

ધરાર પ્રેમસંબંધ રાખવા કે પ્રેમસંબંધ તોડી નાખવાના મનદુ:ખને કારણે મારામારીના બનાવો અગાઉ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. આવો જ વધુ એક કિસ્સો દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ખોડિયારનગરમાં બન્યો છે. જે બનાવ અંગે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ખુશી મનીષભાઇ દત્તાણી નામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઠારિયા મેઇન રોડ પર રહેતા ધ્રુવ હિતેશ મકવાણા નામના યુવક સાથે પરિચય થયો હતો. જે પરિચય પ્રેમમાં પલટાતા બંને એકબીજાના પ્રેમમાં હતા. દરમિયાન ધ્રુવ સાથે બે મહિના પહેલા પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો.

તેમ છતાં ધ્રુવ બે મહિનાથી પોતાનો પીછો કરી પોતે ગમે ત્યાં જાય ત્યારે તે પાછળપાછળ આવતો હતો. ત્યારે સોમવારે સવારે ધ્રુવ ઘર પાસેથી નીકળતા માતા તેને જોઇ ગયા હતા. જેથી તેને ઊભો રાખ્યો હતો. આ સમયે પિતા મનીષભાઇ અને ભાઇ ત્યાં દોડી જઇ ધ્રુવને માર માર્યો હતો.

મિત્રતા તોડી નાખવા છતાં પીછો કરી પજવણી કરતા ધ્રુવના ત્રાસથી પોતે ઘરમાં જઇ ઝેરી દવા પાણીમાં ભેળવીને પી લીધી હતી. દવા પીતી હતી તે સમયે બહેન પોતાની પાસે આવતા તેને ઝેરી દવા પીધી હોવાનું કહેતા પોતાને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બીજી તરફ ખુશીના પિતા અને ભાઇના મારથી ઘવાયેલા ધ્રુવને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. માલવિયાનગર પોલીસે ખુશીની ફરિયાદ પરથી ધ્રુવ સામે, જ્યારે ધ્રુવ મકવાણાની ફરિયાદ પરથી ખુશીના પિતા અને તેના ભાઇ સામે ગુનો નોંધ્યો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow