ડેરીપ્રોડક્ટની કિંમતોમાં વધારો છતાં માગ 15 ટકા સુધી વધી

ડેરીપ્રોડક્ટની કિંમતોમાં વધારો છતાં માગ 15 ટકા સુધી વધી

જીવન જરૂરી તમામ વસ્તુઓમાં કિંમતો સતત વધી રહી હોવા છતાં વપરાશ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. ડેરી-ડેરી પ્રોડક્ટની કિંમતો છેલ્લા એક વર્ષમાં સરેરાશ 7-8 ટકાથી વધુ વધી છે છતાં ડેરી પ્રોડક્ટની માગમાં સરેરાશ 13-15 ટકાનો વધારો નોંધાયો છે. હોટલ, રેસ્ટોરન્ટ તેમજ કેટરિંગ સેગમેન્ટમાં મજબૂત રિકવરીના પગલે વૃદ્ધિ રહી છે. એટલું જ નહીં ગુજરાતની બ્રાન્ડ્સ દેશ ઉપરાંત વિદેશમાં નિકાસ તરફ નજર દોડાવી રહી છે અને બ્રાન્ડ્સને ડેવલપ કરવા માટે પ્રીમિયમ પ્રોડક્ટ તરફ ફોકસ કરી રહી હોવાનું વાસ્તુ ડેરીના સીએમડી ભૂપત સુખડિયા જણાવ્યું હતું.

પેકેજિંગ-અત્યાધુનિક ટેક્નો.થી ઝડપી વૃદ્ધિ
ઉત્પાદન અને પેકેજિંગ પ્રક્રિયા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિષ્ણાતોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી પ્રોડક્ટમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. તાજેતરમાં વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી કૃત્રિમ ઉત્પાદકોથી મુક્ત છે તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સહિત રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. કંપની આગામી પાંચ વર્ષમાં ભારતની ટોચની ડેરી કંપની બનવાના આગળ વધી રહી છે.

વેલ્યુએડેડ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ જોવા મળશે
નાણાકીય વર્ષ 2023 દરમિયાન પણ વેલ્યુએડેડ પ્રોડક્ટ સેગમેન્ટ 18-20 ટકાના દરે વૃદ્વિ નોંધાવે તેવી શક્યતા છે. ખાસ કરીને સંસ્થાકીય તેમજ સ્થાનિક સેગમેન્ટમાં સારી માંગ રિકવરીને કારણે મિલ્ક પાઉડરની ઇન્વેન્ટરીને મજબૂત બનાવવા માટે સક્ષમ રહ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow