મૃત્યુ બધાને આવશે, એટલા માટે મૃત્યુથી ડરવું ન જોઈએ

મૃત્યુ બધાને આવશે, એટલા માટે મૃત્યુથી ડરવું ન જોઈએ

ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલો પ્રસંગ છે. ગૌતમ બુદ્ધ જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે સૂત્ર બતાવતાં હતાં. તેઓ રોજ પોતાના શિષ્યોને ઉપદેશ આપતાં હતાં. ઘણા લોકો તેમની વાતો સમજતાં હતા, તેને લીધે લોકોની તેમની પ્રત્યે ઊંડી આસ્થા પણ હતી.

એક મહિલા ગૌતમ બુદ્ધને ખૂબ જ માનતી હતી. એક દિવસ તેના પુત્રનું મૃત્યુ થઈ ગયું. પુત્રના મૃત્યુથી માતા ખૂબ જ દુઃખી હતી. તે તરત જ ગૌતમ બુદ્ધની પાસે પહોંચી અને આખી વાત જણાવી. મહિલાઓ કહ્યું કે તમે મારા પુત્રને ફરીથી જીવિત કરી દો.

મહિલા બુદ્ધને ભગવાન માનતી હતી, તેણે લાગતું હતું કે તેઓ તેના પુત્રને જીવનદાન આપી શકે છે.

મહિલાની વાત સાંભળીને બુદ્ધે થોડીવાર વિચાર કર્યો. વિચાર્યા પછી બુદ્ધ બોલ્યા કે તેની માટે તારે ગામના કોઈ એક ઘરમાંથી એક મુઠ્ઠી સરસો(રાઈ)ના દાણા લઈ આવવા પડશે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, ઘર એવું હોય, જ્યાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થયું હોય.

મહિલા પુત્રના મરવાથી ખૂબ જ દુઃખી હતી તો તેને એક આશાનુ કિરણ દેખાઈ ગયું કે તેનો પુત્ર ફરીથી જીવતો થઈ શકે છે. બુદ્ધની વાત માનીને તે ગામ તરફ નિકળી અને ઘર-ઘર જઈને એક મુઠ્ઠી રાઈના દાણા શોધવા લાગી.

મહિલા ઘરે-ઘરે જઈને પૂછી રહી હતી કે જો આ ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય તો મને એક મુઠ્ઠી રાઈના દાણા આપી દો.

જ્યાં-જ્યાં મહિલા જતી, ત્યાં તેણે એવો જવાબ મળતો કે તેમના ઘરમાં કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ તો થયું જ છે. કોઈના ઘરમાં પિતાનું, કોઈના ઘરમાં માતાનું, કોઈની પત્ની તો કોઈના પતિ અને કોઈના સંતાનોનું મૃત્યુ થયું છે.

આખા ગામના એક-એક ઘરમાં મહિલાએ રાઈના દાણા માગ્યાં, પરંતુ સફળતા ન મળી. અંતે તેણે સમજાઈ ગયું કે બુદ્ધે તેને એવું શા માટે કરવાનું કહ્યું, મહિલા સમજી ચૂકી હતી કે મૃત્યુ અટલ છે અને બધાને એક દિવસ મરવાનું જ છે.

જ્યારે તે બુદ્ધની પાસે પાછી આવી તો તેનું મન શાંત થઈ ગયું હતું. પુત્રના મરવાનું દુઃખ હતું, પરંતુ તેની વ્યાકુળતા સમાપ્ત થઈ ચૂકી હતી.

બુદ્ધની શીખ

આ પ્રસંગમાં ભગવાન બુદ્ધે સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે, એટલા માટે કોઈના મરવાથી ખૂબ જ વધુ શોક ન કરવો જોઈએ. પોતાના મૃત્યુને લઈને પણ મનમાં ડર ન રાખો. દુઃખી થઈને વર્તમાન ખરાબ ન કરો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow