સમુદ્રી ગરમીનું પ્રમાણ એક હદથી વધે ત્યારે ઘાતક સ્વરૂપનું વાવાઝોડું બને

સમુદ્રી ગરમીનું પ્રમાણ એક હદથી વધે ત્યારે ઘાતક સ્વરૂપનું વાવાઝોડું બને

1વાવાઝોડાં હમેશા ધરતીની ભૂમધ્ય રેખા (વિષુવવૃત્ત, ઉષ્ણકટિબંધ) આસપાસ જ સર્જાય, કેમ કે એ માટે જરુરી ગરમી ત્યાં જ હોય છે. સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાન 26 ડીગ્રી કે તેનાથી વધે તો જ વાવાઝોડું સર્જાઈ શકે. 2આટલી ગરમી પર સામસામા સમુદ્રી પવનો અથડાય એટલે એ ઊંચે ચડે. એ ખાલી જગ્યા પુરવા માટે વધુ પવનો એ તરફ આવે અને એ પણ ગરમ થઈ ઊંચે ચડે. 3ઊંચે ચડતી ગરમ હવા ઠરે છે અને ચારેબાજુ ફેલાતી જાય છે. 4ઊંચેની ઠંડી હવા સાથે ગરમ હવા મિશ્ર થતાં વાદળો બનવાની શરુઆત થાય. 5ધરતી સતત ફરતી હોય એટલે ખાલી જગ્યા તરફ આવતો પવન પણ વળાંક લે છે અને તેના કારણે ત્યાં ચક્રાકાર ગતી જન્મે છે. 6ભેજયુકત વાદળો ગોળ ગોળ ઘૂમવા લાગે છે અને ચક્રનું કદ મોટું થતું જાય છે. 7એ સાઈકલ આગળ વધતી જ જાય એટલે છેવટે બને સાઈકલોન.

પવનને વાવાઝોડું બનાવતી કોરિયોલિસ ઈફેક્ટ
ધરતીનું ધરીભ્રમણ પવનને તોફાની બનાવે એ વાત સૌ પ્રથમવાર 19મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ગેસ્પાર્ડ કોરિયોલિસે કહી હતી. સીધી હવાને ફંટાવતી સ્થિતિ હવે કોરિયોલિસ ઈફેક્ટ તરીકે ઓળખાય છે. જો વાવાઝોડું ઉત્તર ગોળાર્ધમાં હોય તો એ ઘડિયાળના કાંટાની દિશામાં ઘૂમે અને દક્ષિણ ગોળાર્ધમાં હોય (જ્યાં આપણુ બિપોરજોય છે) તો કાંટાની વિરુદ્ધ દિશામાં ઘૂમે. પવન અને ધરતીનું પરિભ્રમણ સામસામે આવે ત્યારે જ પવન તોફાની વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow