ભારત-બાંગ્લાદેશ ટેસ્ટનો ત્રીજો દિવસ

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટનો ત્રીજો દિવસ

મીરપુરમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટના ત્રીજા દિવસની મેચ શરૂ થઈ ગઈ છે.બાંગ્લાદેશે 2 વિકેટે 39 રન બનાવ્યા છે. શાકિબ અલ હસન અને ઝાકિર હસન ક્રીઝ પર છે.

મોમિનુલ હક અને નજમુલ હસન શાન્તો 5-5 રન બનાવીને આઉટ થયા હતા. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

ભારતનો પ્રથમ દાવ 314 રન પર સમાપ્ત થયો હતો. આ પહેલા બાંગ્લાદેશની ટીમે પ્રથમ દાવમાં 227 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની વિકેટો આ રીતે પડી

પ્રથમ: અશ્વિને નજમુલ હસન શાન્તોને એલબીડબ્લ્યુ કર્યો.

બીજી: 13મી ઓવરમાં, સિરાજનો બોલ મોમિનુલ હકના બેટની બહારની કિનારી લઈને પંતના હાથમાં ગયો હતો.

બાંગ્લાદેશ સામે મીરપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગના આધારે 87 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ 314 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રિષભ પંતે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 87 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ અને શાકિબ અલ હસને 4-4 વિકેટ ઝડપી હતી.

જવાબમાં બાંગ્લાદેશે બીજા દિવસે સ્ટમ્પ સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 7 રન બનાવી લીધા છે. આ રીતે ભારત પાસે હજુ પણ 80 રનની લીડ છે.

ભારત તરફથી પંત અને અય્યર ઉપરાંત વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ 24-24 રન ઉમેર્યા હતા. શુબમન ગિલ 20 અને કેપ્ટન કેએલ રાહુલ 10 રન બનાવીને આઉટ થયા હતા. પ્રથમ દિવસે બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 227 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow