કમોસમી વરસાદ-કરા પડવાથી 7 રાજ્યોમાં 25 લાખ હેક્ટરમાં પાકને નુકસાન

કમોસમી વરસાદ-કરા પડવાથી 7 રાજ્યોમાં 25 લાખ હેક્ટરમાં પાકને નુકસાન

કરા પડવા અને કમોસમી વરસાદના કારણે દેશનાં સાત રાજ્યોમાં હજુ સુધી 25 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકને ભારે નુકસાન થયું છે. નુકસાનને લઇને મૂલ્યાંકનની કામગીરી કેટલાંક રાજ્યોમાં હજુ જારી છે. અંદાજ છે કે પ્રભાવિત પાક વિસ્તારનો આંકડો બે ગણો થઇ શકે છે. અસરગ્રસ્ત ખેડૂતોને હવે પાક વીમા દાવાની રકમ મળવાની આશા છે. જોકે કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોને આ મોરચે પણ નિરાશા હાથ લાગી શકે છે.

કારણ કે એ છે કે 93.44 લાખ ખેડૂતોને રવી પાક માટે વીમાકવચની સુવિધા આપવામાં આવી છે. 2018ની સરખામણીમાં આ આંકડો 36 ટકા ઓછો છે. એ વખતે 1.46 કરોડ ખેડૂતોને વીમા કવચની સુવિધા આપવામાં આવી હતી. આ વખતે 124 ટકા વધારે ખેડૂતોએ પાકવીમા માટે અરજી કરી હતી. પ્રધાનમંત્રી પાકવીમા યોજનાની વેબસાઇટમાં આ મુજબની માહિતી અપાઇ છે. સૂત્રોના કહેવા મુજબ વીમાકવચ, નુકસાનને લઇને મૂલ્યાંકન, અને ઝડપથી વીમાદાવાની રકમ આપવા માટે સરકારે રિમોટ સેન્સિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નિકના ઉપયોગથી એક જ વિસ્તારની બે જુદી જુદી બેન્કોમાંથી પ્રીમિયમની રકમ કાપવામાં આવી ન હતી. સરકારના મતથી ખેડૂતો સંતુષ્ટ દેખાતા નથી. તેમનું કહેવું છે કે દર વર્ષે પાક વિસ્તાર અને ઉત્પાદન બંનેમાં વધારો થયો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow