15 હજાર હીરા અને 330 ગ્રામ સોનામાંથી બનાવેલ મગરમચ્છની ડિઝાઈનનો નેકલેસ

15 હજાર હીરા અને 330 ગ્રામ સોનામાંથી બનાવેલ મગરમચ્છની ડિઝાઈનનો નેકલેસ

સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 19મી ડિસેમ્બર સુધી ‘રૂટ્ઝ 2022’ બીટુબી જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 250 જ્વેલરી ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રકારની જ્વેલરી પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં ખાસ કરીને રિયલ ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ક્રિકેટ બોલ, 30 લાખ રૂપિયાનો ક્રોકોડાઈલ નેકલેસ અને 5 લાખ રૂપિયાની સિસોટી આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેકલેસમાં 330 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે અને તેને બનાવવા માટે 5 મહિનાનો સમય લાગ્યો હતો.

15000 ડાયમંડ જડિત ક્રોકોડાઈલ નેકલેસ - નેકલેસની ખાસિયત છે કે, જેમાં 8 હજાર રીયલ ડાયમંડ અને 7 હજાર કલર સ્ટોન મળી 15 હજાર નંગ હીરાનો ઉપયોગ આ ક્રોકોડાઈલ નેકલેસમાં કરવામાં આવ્યો છે.

20 લાખ રૂપિયાનો ક્રિકેટ બોલ - જીજેઈપીસીના ચેરમેનએ કહ્યું હતું કે, ‘ક્રિકેટ બોલનું વજન 200 ગ્રામ છે. ચાંદી-નેચરલ ડાયમંડ વપરાયા છે. 140 કેરેટ હીરામાં 115 કેરેટ રાઉન્ડ અને 25 કેરેટ એમરલ્ડ હીરા વપરાયા છે.

સોના, હીરાથી બનેલી 5 લાખની સિસોટી - 5 લાખ રૂપિયામાં બનેલી સોનાની સિસોટી પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં 25 ગ્રામ સોનુ, 12 કેરેટ નેચરલ હીરાનો ઉપયોગ વડે બનાવતા 15 દિવસનો સમય લાગ્યો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow