કોર્ટે જંગલી હાથીઓ પર કાર્યવાહી કરવા માટે 5 સભ્યોની ટીમ

કોર્ટે જંગલી હાથીઓ પર કાર્યવાહી કરવા માટે 5 સભ્યોની ટીમ

જંગલી હાથી અનાજની શોધમાં ક્યારેક ભટકતાં માનવ વસતીમાં આવી પહોંચતાં હોય છે, ત્યારે કેરલના ઇડ્ડુક્કી જિલ્લામાં એક જંગલી હાથી ‘અરીકોમ્બન’નો આતંક એટલો વધી ગયો છે કે તેની પર કાર્યવાહી કરવા માટે સ્થાનિક લોકો હાઇકોર્ટની શરણે પહોંચ્યા છે. ‘અરી’ એટલે ચોખા અને ‘કોમ્બન’ એટલે હાથી. ચોખાના શોખીન આ હાથીને અરીકોમ્બન નામ અપાયું છે.

કોર્ટે અરીકોમ્બન પર કાર્યવાહી પહેલા પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. કમિટી 5 એપ્રિલે કોર્ટને પોતાનો નિર્ણય જણાવશે, ત્યાં સુધી હાથીને પકડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટના નિર્ણયથી નારાજ 12 ગામના લોકો હડતાળ પર ઉતર્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે, આ અરીકોમ્બન હાથી રસ્તા પર આવેલી રાશનની દુકાનોમાં પ્રવેશી બધા ચોખા ખાઇ જાય છે. ગામજનોનું કહેવું છે કે હાથીને અહીંથી હટાવીને બીજે ક્યાંક લઈ જવો જોઈએ. હાથીઓ બસ પર હુમલો ન કરી દે તેવા ભયથી બાળકો પણ શાળાએ જતાં ડરે છે. કેટલાક લોકોએ કહ્યું કે ‘અરિકોમ્બન’ સિવાય અન્ય કેટલાંક હાથીઓ પણ છે, જે તેમના માટે ખતરો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow