દુનિયામાં કોરોનાનો ખતરો

દુનિયામાં કોરોનાનો ખતરો

ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટે મંગળવારે કહ્યું હતું કે તે મહિનામાં માત્ર એક જ વાર કોવિડ ડેટા જાહેર કરશે. સેન્ટર અનુસાર, કોવિડ હવે બી કેટેગરીની બીમારીમાં સામેલ છે, આથી રોજ ડેટા આપવો જરૂરી નથી.

આ વચ્ચે ન્યૂયોર્ક ટાઈમના એક રિપોર્ટ અનુસાર, ચીનની મોટા ભાગની હોસ્પિટલમાં સ્ટાફની પણ ખોટ વર્તાઈ રહી છે. કેટલીક હોસ્પિટલ એવી છે, જ્યાં પહેલા 15 લોકોનો સ્ટાફ હતો, હવે માત્ર 2 કે 3નો રહી ગયો છે.

બીમારી વધુ ભયંકર નથી
સમાચાર એજન્સી રોઇટર્સે ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને એક રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં કહેવામાં આવી રહ્યું છે કે કોવિડને બી કેટેગરીમાં એટલે રાખેલું છે, કારણ કે એ વધુ ખતરનાક નથી અને આથી રોજ ડેટા આપવો જરૂરી નથી. રિપોર્ટ અનુસાર, કોવિડ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી વધુ કંઈ નથી.

ચીને વધુ એક પગલું ભર્યું છે. હવે 8 જાન્યુઆરીથી અન્ય દેશોમાંથી ચીન આવનારા લોકોને ક્વોરન્ટીન થવાની જરૂર રહેશે નહીં. અગાઉ શી જિનપિંગ સરકારે પણ તેની તમામ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો એવા લોકોને થશે, જેઓ અન્ય દેશોમાં છે અને દેશમાં પરત ફર્યા બાદ તેમના પરિવારજનોની સુખાકારી જાણવા માગે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow