શિયાળામાં આ વસ્તુઓનું કરો સેવન! શરદી-ખાંસીની સમસ્યા રહેશે દૂર, જાણો ઘરગથ્થુ ઉપાય

શિયાળામાં આ વસ્તુઓનું કરો સેવન! શરદી-ખાંસીની સમસ્યા રહેશે દૂર, જાણો ઘરગથ્થુ ઉપાય

શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં શરદી અને ખાંસી ઝડપથી થઈ જાય છે. શિયાળાની ઋતુમાં ખાંસી, શરદી, વાયરલ અને ફ્લૂ જેવી બીમારીઓ થવી સામાન્ય વાત છે. તેથી જ આ સિઝનમાં લાઈફસ્ટાઈલ અને આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

આદુ
આદુનું સેવન શરદીના તમામ લક્ષણોથી રાહત મેળવવા માટે મદદ કરે છે. આદુ ગરમ હોવાની સાથે જ એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે બંધ નાક, ગળાના દુખાવા સહિત અનેક રોગોમાં રાહત આપે છે. તેનું સેવન કરવા માટે તમે આદુની ચા લઈ શકો છો.

લસણ
શિયાળાની ઋતુમાં લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ. આવું એટલા માટે કારણ કે લસણની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે અને શરદી, ફ્લૂ જેવી બીમારીઓથી બચાવે છે.

મધ
શિયાળાની ઋતુમાં મધનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે મધ તમારા શરીરને ગરમ રાખવાની સાથે ગળાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

ડ્રાયફ્રૂટ્સ
દરેક ઋતુમાં સૂકો મોવો ખાઈ શકાય. પરંતુ જો તમે શિયાળામાં તમારા દિવસની શરૂઆત સૂકા મેવાથી કરો છો, તો તમે ખાંસી અને શરદીથી બચી શકો છો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow