રાજકોટના કેનાલ રોડ પર અપ્પુ પેઇન્ટના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ

રાજકોટના કેનાલ રોડ પર અપ્પુ પેઇન્ટના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ રહેતા અને કન્સલ્ટન્સી કંપનીમાં ચીફ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સુભાષભાઇ હરિશચંદ્ર જયસ્વાલે નોંધાવેલી ફરિયાદ મુજબ, નામાંકિત એશિયન પેઇન્ટ કંપનીના માલ વેચાણમાં ગુનાહિત કૃત્ય થતું હોવાની અમારી કંપનીમાં ફરિયાદ આવી હતી. જેની તપાસ કરવા માટે પોતાને જણાવાયું હતું. જેથી ગત તા.24-4ના રોજ રાજકોટના કેનાલ રોડ પર આવેલી અપ્પુ પેઇન્ટ નામની દુકાને ગયા હતા. જ્યાંથી એશિયન પેઇન્ટના પ્રોડક્ટની ખરીદી કરી હતી. ખરીદ કરેલા માલનું વેપારીએ બિલ આપ્યું હતું.

બાદમાં ખરીદેલા એશિયન પેઇન્ટ કંપનીના બકેટ ચેક કરતા કંપનીએ બકેટમાં લગાડેલા બારકોડ તેમજ ક્યુઆર કોડ ભૂંસી નાખેલા જોવા મળ્યા હતા. આ બારકોડ તેમજ ક્યુઆર કોડથી પ્રોડક્ટ સંલગ્ન તમામ માહિતી તેમાંથી મળી શકે છે.અપ્પુ પેઇન્ટ નામની દુકાન ધરાવતા વેપારી ચિરાગ મહેન્દ્ર ઉદેશી (રે.મિલપરા 8-20) ઉપરોક્ત નામાંકિત પેઇન્ટ કંપનીનો મોટી માત્રામાં માલ વેચે છે અને તેમાં લગાડાયેલા બારકોડ અને ક્યુઆર કોડ ભૂંસી નાખતો હોવાની માહિતી મળી હતી. ચોક્કસ માહિતી મળ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં અરજી આપી હતી.

જે અરજીના આધારે આજે પોલીસને સાથે રાખી અપ્પુ પેઇન્ટની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન માલિક ચિરાગ ઉદેશી મળી આવ્યો હતો. દુકાનમાં તલાશી લેતા દુકાનમાંથી રૂ.1.75 લાખની કિંમતના કુલ 24 બેકેટ મળી આવ્યા હતા. જે તમામ બેકેટ ચેક કરતા તેમાં લગાડાયેલા બારકોડ તેમજ ક્યુઆર કોડ ભૂંસી નાખેલા હતા. આમ રાજકોટના વેપારીએ નામાંકિત કંપની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વેપારીની ધરપકડ કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow