રાજકોટમાં તરુણીના પિતાની વિજયનગરમાં રહેતા યુવાન સામે ફરિયાદ

રાજકોટમાં તરુણીના પિતાની વિજયનગરમાં રહેતા યુવાન સામે ફરિયાદ

રેલનગરમાં રહેતી 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.રેલનગર વિસ્તારમાં રહેતા યુવાને વિજય પ્લોટ-10માં રહેતા સુજલ અખ્તર ઘોરી નામના વિધર્મી સામે ફરિયાદ નોંધાવી છે.

શ્રમિક યુવાનની ફરિયાદ મુજબ, તેને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. રેલનગર પહેલા પરિવાર સાથે વિજયનગરમાં રહેતા હતા. ત્યારે નવેક મહિના પહેલા ધો.12 સુધી અભ્યાસ કરનાર 17 વર્ષની સૌથી મોટી દીકરીને કોઇની સાથે મોબાઇલમાં વાત કરતા પકડી હતી. તેને પૂછતા તે સુજલ સાથે વાત કરતી હોવાનું કહેતા પુત્રીને ઠપકો દીધો હતો. પુત્રીએ થોડા સમય માટે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ચારેક મહિના પૂર્વે પુત્રી હજુ સુજલને મળતી હોવા અંગેની મિત્રે વાત કરતા વિજયનગરમાંથી ઘર ફેરવી રેલનગરમાં રહેવા આવી ગયા હતા.

દરમિયાન ચાર દિવસ પહેલા પત્ની પુત્રીને સુજલ સાથે મોબાઇલ પર વાત કરતા જોઇ જતા તેની પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. પૂછપરછમાં તે મોબાઇલ સુજલે આપ્યાની પુત્રીએ વાત કરી હતી. આમ પુત્રી સુજલના સંપર્કમાં હોય ત્રણ દિવસ પહેલા લાલપરીમાં રહેતા સસરાના ઘરે મોકલી દીધી હતી. ત્યારે શનિવારે સવારે પુત્રીને સુજલ અહીં આવીને ભગાડી ગયાની સાળીએ ફોન કરી જાણ કરી હતી. જેથી તુરંત પુત્રીને શોધવા બધે તપાસ કરી હતી, પરંતુ પુત્રીની કોઇ ભાળ નહિ મળતા અંતે બી ડિવિઝન પોલીસમાં સુજલ ઘોરી સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow