આ ઘરગથ્થુ ઉપાયો અજમાવીને શરદી-ખાંસી મટાડી શકાય

આ ઘરગથ્થુ ઉપાયો અજમાવીને શરદી-ખાંસી મટાડી શકાય

હાલમાં અવારનવાર ઋતુઓમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. આ રીતે ઋતુમાં પરિવર્તન થતાં લોકોમાં પણ શરદી-ખાંસીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.  

સ્વાસ્થ્ય વિશેષજ્ઞના કહેવાનુસાર, બાળકો અને વૃદ્ધોમાં આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે. આવા સમયે શરદી, ખાંસી કે ગળામાં ખારાશની તકલીફને થોડા ઘરેલુ ઉપાયોથી પણ દૂર કરી શકાય.

નાસ લેવાથી બંધ નાકમાં રાહત ઘણી રાહત મળશે આ સીઝનમાં નાક બંધ થવાની સમસ્યા સામાન્ય છે. આ માટે નાકમાં ફુદીનાનાં પાંદડાં કે અજમા સાથે નાસ લેવાથી લાભ થાય છે. એનાથી કફ છૂટો પડે છે ઉપરાંત નાક પણ ખુલી જાય છે અને સહેલાઈથી શ્વાસ લઈ શકાય છે. ગળામાં થતી ખારાશ અને દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

લવિંગ અને મધનું સેવન સૂકી ખાંસી અને ગળામાં દુખાવો ઓછો કરવા માટે લવિંગનું ચૂરણ અને મધ મિક્સ કરીને એનું સેવન કરવું જોઈએ. દિવસમાં બેથી ત્રણ વાર આ ઉપાય અજમાવવાથી રાહત મળશે.

મીઠાના પાણીના કોગળા ગળામાં દુખાવો અને ખારાશ દૂર કરવા માટે અને શરદીમાં આરામ મળે તે માટે મીઠાના પાણીના કોગળા કરવા જોઈએ. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખીને પાંચ મિનિટ સુધી ઉકાળો. નવશેકું થઈ જાય પછી એના કોગળા કરો. દિવસમાં ત્રણથી ચાર વખતે કોગળા કરવાથી ખૂબ જ ફાયદો થશે.

તુલસીનો ઉકાળો તુલસી સૌથી વધુ એન્ટિવાઈરલ જડીબુટ્ટીઓમાંની એક છે. ચારથી પાંચ તુલસીનાં પત્તાંને થોડા પાણીમાં ઉકાળીને એ પાણી પીવું જોઈએ. તમે એ પાણીમાં મધ અને આદું પણ મિક્સ કરી શકો છો. તુલસીના ઉકાળામાં કાળા મરી, આદું, લવિંગ, તજ નાંખીને એનું સેવન કરવાથી પણ આ સમસ્યાઓમાં રાહત મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow