સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં લહોનક સરોવર પર વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. આ દુર્ઘટના પછી 18 મૃતદેહ મળી ચૂક્યા છે. આ ઉપરાંત 30થી વધુ ઈજાગ્રસ્ત છે અને 98 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં ભારતીય સેનાના 22 જવાન પણ સામેલ છે. આ લોકોને શોધવા માટે તીસ્તા નદી અને ઉત્તર બંગાળના નીચલા હિસ્સામાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. પાક્યોંગના જિલ્લા મેજિસ્ટ્રેટ તાશી ચોપેલે તમામ જવાનોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે અત્યાર સુધી 2011 લોકોને બચાવી લેવાયા છે.

આ પૂરના કારણે 22 હજારથી પણ વધુ લોકોને અસર થઈ છે. વાદળ ફાટવાથી 11 પુલ પણ તૂટી પડ્યા છે. ચુંગથાંગ શહેર તો 80% જેટલું તારાજ થઈ ગયું છે. ખાસ કરીને રાજ્યના ચારજિલ્લા ગંગટોક, પાક્યોંગ, મંગન અને નામચીને સૌથી વધુ નુકસાન થયું છે. હાલ અહીં 26 રાહત શિબિર શરૂ કરાઈ છે. આ ચારેય જિલ્લામાં પાણીની પાઈપલાઈનો, સિવેજ લાઈન અને 300થી વધુ ઘર તબાહ થઈ ગયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે લોકોને તીસ્તા નદીના કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે કારણ કે તેનું જળસ્તર વધી રહ્યું છે.

પૂરની સ્થિતિ જોતા સિક્કિમ શિક્ષણ વિભાગે 15મી ઓક્ટોબર સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ પહેલા આઠમી ઓક્ટોબર સુધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ હતો.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow