Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
#Import 2025-06-10 06:41

રાજસ્થાન ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ગયાં!

Gujaratnow1 min read
રાજસ્થાન ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ગયાં!

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે રાજસ્થાન સરકારની ‘રાજીવ ગાંધી સ્કૉલરશિપ ફૉર એકેડેમિક એક્સલેન્સ’ યોજનામાં હવે સરકારી અધિકારીઓનાં 30% સંતાનો અભ્યાસ કરી રહ્યાં છે. હકીકતમાં સરકારે આ વર્ષે આવકનો દાયરો 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખથી વધુ કર્યો છે. ત્યારબાદ કુલ 245 વિદ્યાર્થીની પસંદગી થઇ હતી, જેમાંથી 14 આઇએએસ, આઇપીએસ સહિત 73 અધિકારીઓનાં સંતાનો છે.

સરકારે રાજસ્થાનના વિદ્યાર્થીઓને ઑક્સફોર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવા માટે બે વર્ષ પહેલાં આ યોજના શરૂ કરી હતી. પહેલાં એવા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકતા હતા જેમને વિદેશી કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને પરિવારની આવક વાર્ષિક રૂ.8 લાખથી ઓછી હોય.

ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના પીએ વિશાલ રાણાવતની પુત્રની પણ પસંદગી થઇ છે. તદુપરાંત આરયુએચએસના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અજિતસિંહ શક્તાવત સહિત અન્ય અધિકારીઓનાં સંતાનો સામેલ છે. બીજી તરફ ભાજપે આ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને બદલે અધિકારીઓના બાળકોને આપવા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે.

Gujaratnow1 min read

Related News