છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી.શાખા

છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી.શાખા

રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદના વસ્ત્રાલયમાં સુકુન હાઈટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા સચિન રમેશભાઈ વડનગરા (ઉ.વ.35) તેમજ પ્રિયા હિરેનભાઈ લાઠીગરા (ઉ.વ.33) ની ધરપકડ કરી છે. આ બન્ને સામે વર્ષ 2022માં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં સચિને તેના કૌટુંબિક બનેવી અને ગુંદાવાડીમાં અનમોલ ચેમ્બર્સમાં જ્વેલર્સનું કામ કરતા ધવલભાઈ જયેશભાઈ ભુવા પાસેથી 34 ગ્રામ સોનું કે જેની કિંમત 1.65 લાખ રૂપિયા જેટલી થાય છે તે લીધું હતું. સોનાના બદલામાં સચિને ધવલભાઈને ચેક આપ્યો હતો અને આ લેતી-દેતીમાં વચ્ચે પ્રિયા લાઠીગરા રહી હતી. જો કે સચિને આપેલો ચેક બાઉન્સ થતા આ મામલે અરજી કરવામાં આવી જે મામલે સમાધાન થયું હતું. જો કે આ સમાધાન થયા બાદ સચિન અને પ્રિયા ફરાર થઈ ગયા હતા.

2.50 લાખનું સોનુ લીધુ ને ચેક આપ્યો
ધવલ ઉપરાંત સચિન-પ્રિયાએ ગુંદાવાડીમાં સવજીભાઈની શેરીમાં આચાર્ય જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં વિજયભાઈ વસંતલાલ વાગડીયા પાસેથી 2.50 લાખનું 56 ગ્રામ સોનું લીધું હતું જેના બદલામાં પણ ચેક આપ્યા હતા જે પણ રિટર્ન થતાં આખરે આ બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે ફરિયાદ નોંધાયા બાદ બન્ને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન આજે આ બન્ને રાજકોટ આવ્યા હોવાની બાતમી મળતા જ SOG પોલીસે બન્નેની ધરપકડ કરી બન્નેની સોંપણી એ-ડિવિઝન પોલીસને કરતા હવે એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow