જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

સુરત શહેરમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ વેચાણનું હબ ગણાતા જનતા માર્કેટમાં શુક્રવારે બપોરે ક્રાઇમબ્રાંચે 15 પોલીસ અધિકારીઓ સાથે 14થી વધુ ટીમો બનાવી 120 દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

શહેરના ભાગાતળાવ જનતા માર્કેટમાં ચોરીના મોબાઇલ વેચાણ થતા હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈ ક્રાઇમબ્રાંચના એડીશનલ પોલીસ કમિશનર શરદ સીંઘલ, મહિલા ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી બી.પી.રોજીયા તેમજ પીઆઈ વાગડીયા સહિત તમામ પીઆઈ તેમજ પીએસઆઈએ સ્ટાફ સાથે ટીમો બનાવી જનતા માર્કેટમાં ચેકિંગ કર્યું હતું.

દુકાનોમાંથી લગભગ 500થી વધુ મોબાઇલ બીલ વગરના મળી આવ્યા હતા. પોલીસે બીલ વગરના મોબાઇલનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીલ વગરના મોબાઇલ કદાચ ચોરીના હશે તો તે દુકાનદાર સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે.

ડીસીબીના સ્ટાફે ચેકિંગની કામગીરી શુક્રવારે મોડીસાંજ સુધી કરી હતી. ખાસ કરીને પોલીસે બીલ વગરના મોબાઇલમાં આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે બાબતે ટેક્નિકલ સ્ટાફે તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચે અચાનક જનતા માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.

જનતા માર્કેટમાં તો કેટલાક વેપારીઓ તો ચોરીના મોબાઇલ વેચાણ કરવાની સાથે મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્પેરપાર્ટસ પણ વેચાણ કરતા હોવાની વાત છે. આ બાબતે પણ ક્રાઇમબ્રાંચે ચેકિંગ કરવાની જરૂર છે. થોડા દિવસો પહેલા ક્રાઇમબ્રાંચે રાંદેર વિસ્તારોમાંથી બીલ વગરના લાખોની કિંમતના આઈફોન પકડી પાડ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow