કેનેડાના વિઝીટર વિઝાના બહાને સુરતના યુવાનો સાથે છેતરપિંડી, બેંક બેલેન્સ બતાવવાની શરતે પડાવી લીધા આટલાં રૂપિયા

કેનેડાના વિઝીટર વિઝાના બહાને સુરતના યુવાનો સાથે છેતરપિંડી, બેંક બેલેન્સ બતાવવાની શરતે પડાવી લીધા આટલાં રૂપિયા

સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીક વાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે.

ઇમિગ્રેશનના નામે 2 યુવાનો સાથે છેતરપિંડી
એજન્ટ થ્રુ કેનેડા જતા હોવ તો ચેતી જજો. કારણ કે કેનેડાના વિઝીટર વિઝાના નામે સુરતમાં છેતરપિંડી આચરવામાં આવી છે. સુરતના માંડવીના બે યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલકે ઇમિગ્રેશનના નામે 2 યુવાનો પાસેથી રૂ.82 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. હાલ ઈમિગ્રેશન એજન્સીનો સંચાલક ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે. યુવકોએ આ મામલે  નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

8 મહિના સુધી રૂ.10 લાખનું બેંક બેલેન્સ બતાવવાની મૂકી હતી શરત
યુવકોના જણાવ્યા અનુસાર, 8 મહિના સુધી રૂ.10 લાખનું બેંક બેલેન્સ બતાવવાની શરત મૂકી હતી. બેલેન્સ ન બતાવે તો 1.5% વ્યાજ લાગશે તેવું જણાવ્યું હતું. હાલ નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીનો સંચાલક ફરાર થયો છે.

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાંથી ઝડપાયું હતું ઈમિગ્રેશન કૌભાંડ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાંથી ઈમિગ્રેશન કૌભાંડ ઝડપાયું હતું. જેમાં બોગસ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લીધો હોવાનો ખુલાસો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં IHRA (ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન) ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું હતું. આ ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલાં ગુજરાતીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow