સુરતમાં વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ સર્જાયો,અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

સુરતમાં વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ સર્જાયો,અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. તેને બદલે આ વખતે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. માર્ચ મહિનામાં ત્રીજી વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે શહેરભરમાં અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. માવઠાંના કારણે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  

શહેરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

કમોસમી વરસાદના માહોલથી ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં સમયાંતરે થતા વરસાદને કારણે ખેડૂતો વધુ ચિંતિત થયા છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

બાગાયતી પાકોને નુકસાન
ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે બાગાયતી પાકોને નુકસાન થઈ રહ્યું છે. માર્ચ મહિનામાં જે પ્રકારે કેરીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં આવતો હોય છે. પરંતુ એક બાદ એક માવઠા હોવાને કારણે સંપૂર્ણ રીતે કેરીનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. લાખો કરોડો રૂપિયાનું બાગાયતી પાકોનું નુકસાન દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સહન કરવું પડશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow