રૂમમાં હીટર યુઝ કરતા પહેલાં સાવધાન! કપલનું મોત, આટલી બાબતો ચોક્કસથી ધ્યાનમાં રાખજો નહીં તો...

રૂમમાં હીટર યુઝ કરતા પહેલાં સાવધાન! કપલનું મોત, આટલી બાબતો ચોક્કસથી ધ્યાનમાં રાખજો નહીં તો...

ઉત્તર પ્રદેશના સંભલમાં ગેસ રૂમ હીટરમાંથી ગૂંગળામણને કારણે બે લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે રૂમમાં રૂમ હીટરને કારણે ગૂંગળામણને કારણે આ ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના સંભલમાં રૂમ હીટરમાંથી નીકળતા ગેસના કારણે ગૂંગળામણને કારણે પતિ-પત્નીના મોત થયા છે.પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર પતિ-પત્ની બંને રૂમમાં હીટર લગાવીને પોતાના બાળક સાથે સૂઈ રહ્યા હતા. હાલ બાળકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

જો કે આ શિયાળાની ઋતુ દરમિયાન હીટરનો ઉપયોગ કરવો ખૂબ જ સામાન્ય છે પણ ઘણી વખત એવું બને છે કે હીટરનો સાચી રીતે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. એવામાં જો હીટરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આજે અમે તમને જણાવશું કે રૂમમાં હીટર લગાવીને સૂવું કેમ ખતરનાક બની શકે છે?

રૂમમાં હીટર ચાલુ રાખીને કેમ સૂવું ન જોઈએ?
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા અને ગરમી મેળવવા માટે લોકો રૂમ હીટરનો ઉપયોગ કરે છે પણ ડોકટરો આ અંગે ચેતવણી આપે છે કે આખી રાત રૂમમાં હીટર ચાલુ રાખીને સૂવાથી ઊંઘ ન આવવાની સાથે શુષ્ક ત્વચા અને એલર્જીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય એ હીટરમાંથી નીકળતા હાનિકારક ગેસને કારણે પણ વ્યક્તિનો શ્વાસ પણ રૂંધાઈ શકે છે અને તેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.

હીટર કેમ જોખમી છે?
જણાવી દઈએ કે હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ બહાર આવે છે જેને કારણે હૃદય સંબંધિત બિમારીઓથી પીડિત લોકોને છાતીમાં દુખાવોનો સામનો કરવો પડી શકે છે. જો કે હૃદય સંબંધિત રોગો અને ધૂમ્રપાનથી પીડિત લોકો માટે તે સૌથી વધુ જોખમી છે. આ સિવાય બાળકો અને વૃદ્ધો માટે આ ગેસ ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જણાવી દઈએ કે ગેસ હીટરનો ઉપયોગ કરવાથી ઊંઘમાં મૃત્યુનું જોખમ ઘણું વધી જાય છે.

હીટરમાંથી નીકળતો એ કાર્બન મોનોક્સાઈડ ગેસ વ્યક્તિના શરીરમાં લોહીનો પુરવઠો અટકાવી દે છે જેના કારણે મગજ સુધી લોહી પહોંચી શકતું નથી અને આ સ્થિતિમાં બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે. આ સિવાય રૂમમાં હીટર ચાલુ રાખીને સૂવાથી તમારે શુષ્ક ત્વચા, એલર્જી અને આંખમાં બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કેવી રીતે બચવું
આ સમસ્યાથી બચવા માટે હીટર ચાલુ રાખીને તેની પાસે પાણીની એક ડોલ રાખવી જોઈએ. જેના કારણે રૂમમાં ભેજ અકબંધ રહે.

રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
રૂમમાં રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે હીટરની આસપાસ કાગળ, ધાબળો કે ફર્નિચર વગેરે રાખવાનું ટાળવું જોઈએ. આ બધી વસ્તુઓને હીટરથી 2 થી 3 ફૂટ દૂર રાખો. આ સાથે જ હીટરને કાર્પેટ, લાકડા અથવા પ્લાસ્ટિક પર ન રાખવું જોઈએ.

રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ભરવાના સંકેતો-
વ્યક્તિને માથાનો દુખાવો
ચક્કર
પેટ દુખાવો
અસ્વસ્થતા અનુભવો
ઉલટી
નબળાઈ

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow