શું ભારતમાં લૉકડાઉન જેવી થઈ શકે છે હાલત? એક્સપર્ટસની સલાહ જાણીને થશે રાહત

શું ભારતમાં લૉકડાઉન જેવી થઈ શકે છે હાલત? એક્સપર્ટસની સલાહ જાણીને થશે રાહત

દુનિયાનાં કેટલાક દેશોમાં કોરોના ફરી ફાટી નિકળ્યો છે ત્યારે ભારતનું તંત્ર પણ જાગી ગયું છે. કોરનાનાં વેરિયન્ટ BF.7નાં કેસો ભારતમાં પણ જોવા મળ્યાં છે. હાલમાં આ સ્થિતિ ભારતમાં તો નિયંત્રિત છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 185 લોકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તમામ લોકોથી કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચન કર્યું છે.

PM નરેન્દ્ર મોદીએ આ વિષયે બોલાવી બેઠક
દેશમાં કોરોનાની સ્થિતિ અને તેના સંબંધિત પાસાંઓની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વધી રહેલા કોવિડનાં કેસોને લીધે ભારતનાં લોકોમાં ડરનો માહોલ ફેલાઇ રહ્યો છે. લોકોનાં મનમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યાં છે.

શું ફરી લોકડાઉન થશે?
કોરોનાનાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તમામ લોકો પાસે બચાવનાં ઉપાયોનું પાલન કરવાની અપીલ કરી રહ્યાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં વરિષ્ઠ ડોક્ટર અનિલ ગોયલ કહે છે કે કોરોનાનાં ખતરાને ધ્યાનમાં રાખતાં ટેસ્ટિંગ, ઉપચાર અને મામલાઓનું ટ્રેકિંગ વધારવાની આવશ્યકતા છે. વ્યક્તિગતરૂપે તમામ લોકોએ સતર્ક રહેવું પડશે, ભલે તમારું વેક્સિનેશન થઇ ગયું હોય. ચીનની સરખામણીમાં ભારતનાં લોકોની પ્રતિરક્ષા પ્રણાલી વધુ મજબૂત છે જ્યાં 95% લોકોનું વેક્સિનેશન પણ થઇ ચૂક્યું છે. આપણને સાવચેત રહેશું તો દેશમાં લોકડાઉનની સ્થિતિ નહીં થાય.

વેક્સિનેશનથી થશે બચાવ
મુંબઇ સ્થિત જે.જે. હોસ્પિટલનાં ડીન ડો.પલ્લવી સપલેએ કહ્યું કે ચીન સહિત અન્ય દેશોમાં કોવિડ-19નાં કેસોમાં જોવા મળતી વૃદ્ધિ માટે વેક્સિનેશનમાં ઘટાડો, સારી ગુણવત્તા વાળી વેક્સિન ન હોવાને કારણે પ્રમુખ રૂપથી જોવા મળી રહ્યું છે. ભારતમાં આ બાબતે ચિંતાની વાત નથી, દેશનાં લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે અને સ્થિતિ કાબૂમાં છે. છતાં પણ લોકોએ સાવચેત રહેવું આવશ્યક છે. જો એક પણ કેસ છે તો તે ફેલાઇ શકે છે. સરકારે દરેક નમૂનાની જીનોમ સીકેવેન્સિંગ કરાવવાનો નિર્દેશ કર્યો છે.

વેક્સિનેશન થયું છે તો પણ બચાવની જરૂરિયાત છે જ
એક ઇન્ટરવ્યૂહમાં ડો. વિક્રમજીતસિંહ કહે છે કે કોરોનાનાં એક નવા વેરિયન્ટમાં ઇમ્યુનિટી સ્કેપની ક્ષમતા જોવા મળી રહી છે તેવામાં આ વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કરી શકે છે. જો કે તેવા લોકોમાં સંક્રમણની સ્થિતિમાં ગંભીર રોગનો ખતરો નહી રહે. તેથી ભલે વેક્સિનેશન થઇ ગયું હોય પણ માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સ વગેરે જરૂરી ઉપાયોનું પાલન કરવું જ જોઇએ.

આ આઠ બાબતોનું રાખવું ધ્યાન:

  • સાર્વજનિક સ્થાનો પર ફેસ માસ્ક લગાવવું
  • સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન
  • હાથોને સ્વચ્છ-સાફ રાખવાં
  • ભીડ-ભાડવાળા સ્થળો પર જવું ટાળવું
  • આંતરરાષ્ટ્રીય યાત્રાઓ હાલમાં ટાળવી
  • વેક્સિનેશન જરૂરથી કરાવવું

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow