ડુંગળી-ટામેટાં સહિત આ 7 વસ્તુઓ ખાવાથી મજબૂત થાય છે શરીરની નસો, તેજીથી થાય છે બ્લડ સર્ક્યુલેશન

ડુંગળી-ટામેટાં સહિત આ 7 વસ્તુઓ ખાવાથી મજબૂત થાય છે શરીરની નસો, તેજીથી થાય છે બ્લડ સર્ક્યુલેશન

રક્તવાહિકાઓ શરીરમાં લોહી, ઓક્સિજન અને પોષકતત્ત્વોને પહોંચાડવાનું કામ કરે છે. ઉંમર વધવાની સાથે રક્તવાહિકાઓ નબળી પડવા લાગે છે. આ કારણોસર શરીરમાં યોગ્ય પ્રકારે લોહીનો સંચાર થઈ શકતો નથી. જેથી શરીર અનેક બીમારીઓનો ભોગ બને છે. શરીરની રક્તવાહિકાઓ મજબૂત થઈ શકે તે માટે અનેક વસ્તુઓ છે. આ તમામ વસ્તુઓ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

રક્તવાહિકાઓને મજબૂત કરતી વસ્તુઓ

બેરીઝ

બેરીઝ એન્ટીઓક્સિડન્સથી ભરપૂર હોય છે. બેરીઝમાં રહેલ એન્થોસાયનીનને કારણે રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીમાં સૌથી વધુ માત્રામાં એન્થોસાયનીન હોય છે.

ભાજી

પાલક, કેળ જેવી ભાજીઓમાં ભરપૂર માત્રામાં નાઈટ્રેટ રહેલું હોય છે. જેનાથી લોહીનો સંચાર યોગ્ય પ્રકારે થાય છે અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. ભાજીમાં સૌથી વધુ વિટામિન કે રહેલું હોય છે, જેનાથી ધમનીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

એવોકાડો

એવોકાડોમાં ભરપૂર માત્રામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલ છે, જેનાથી રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે અને સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. એવોકાડોમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે, જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે

અનાજ

બ્રાઉન રાઈસ અને ઘઉથી બનતી બ્રેડમાં સૌથી વધુ માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી કોલસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. અનાજમાં વિટામીન બી રહેલું હોય છે, જેનાથી ધમનીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

ડુંગળી

ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટની સાથે સાથે એન્ટીઇન્ફ્લામેન્ટરી ગુણ પણ રહેલા છે, જેનાથી નસ અને ધમનીઓમાં સોજો આવતો નથી.

હળદર

પૌરાણિક સમયથી હળદરનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી રક્તવાહિકાઓ સંકોચાતી નથી અને લોહીનો સંચાર પણ યોગ્ય પ્રકારે થાય છે.

ટામેટા

ટામેટામાં ભરપૂર માત્રામાં લાયકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટના કારણે રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે અને સોજો પણ ઓછો થાય છે. ટામેટામાં રહેલ વિટામિન ‘સી’ને કારણે આર્ટરિઝની સમસ્યાથી રાહત મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow