નાની ઉંમરમાં જ હાડકા થઈ રહ્યા છે કમજોર? તમારી લાઈફસ્ટાઈલમાં કરો 4 ફેરફાર, પછી જુઓ ચમત્કાર

નાની ઉંમરમાં જ હાડકા થઈ રહ્યા છે કમજોર? તમારી લાઈફસ્ટાઈલમાં કરો 4 ફેરફાર, પછી જુઓ ચમત્કાર

આપણાં હાડકાંમાં સતત ફેરફાર થતા રહે છે. એટલે કે જૂના હાડકાં સમયાંતરે રિપેર થતા રહે છે. આ પ્રક્રિયા બાળપણ અને જવાનીમાં ઝડપી થાય છે. તમે 30 વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારા હાડકાના માસ પિક પર હોય છે. એટલે કે ત્યારે તમારૂ બોન માસ ઓછુ બને છે અને વધારે ઘટે છે.

ઓસ્ટીયોપોરોસિસ જેવી નબળા હાડકાની સ્થિતિ તમારા જીવનના પ્રથમ 30 વર્ષમાં મળતા બોન માસ પર નિર્ભર કરે છે અને ત્યાર બાદ કેટલી ઝડપથી હાડકા દ્રવ્યમાન ગુમાવે છે તેના પર. જો તમે ઈચ્છો છો કે તમારા હાડકા ઓલ્ડ એજ સુધી પણ મજબૂત રહે તો ડેલી હેબિટ્સમાં અમુક ફેરફાર કરવા જોઈએ.

હાડકાની મજબૂતી માટે શું કરશો?
કેલ્શિયમ રિચ ડાયેટ લો
હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તમારા હાડકાં સતત તૂટવાની અને બનાવવાની પ્રક્રિયામાં હોય છે, તેથી હાડકાંની મજબૂતી અને રચના માટે કેલ્શિયમયુક્ત આહાર લેવો જરૂરી બની જાય છે.

શરીરમાં ન થવા દો વિટામિન ડીની ઉણપ
વિટામિન ડી આપણા હાડકા માટે કેલ્શિયમ જેટલું જ જરૂરી છે. અહીં સુધી કે જો તમારી પાસે કેલ્શિયમની યોગ્ય માત્રા હોય, તો પણ તમારું શરીર વિટામિન ડીની મદદ વિના તેને અવશોષિત નહીં કરી શકે.

કેટલાક સંશોધનોમાં સામે આવ્યું છે કે જે લોકોને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી નથી મળતું, ખાસ કરીને બાળકો અને પુખ્ત વયના લોકોમાં હાડકાની ઘનતામાં ઘટાડો થયો છે. તેથી, આ પોષક તત્વો મેળવવા માટે, દરરોજ 15 થી 20 મિનિટ તાપમાં બેસો.

પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાઓ
તમારા હાડકાનો લગભગ 50 ટકા હિસ્સો પ્રોટીનથી બનેલો છે. તેથી તમારા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. રિસર્ચ અનુસાર ઓછા પ્રોટીનનું સેવન કરવાથી કેલ્શિયમનું શોષણ ઓછું થઈ શકે છે અને હાડકાના નિર્માણ અને તૂટવાની પ્રક્રિયાને પણ અસર થઈ શકે છે.

વેટ બિયરિંગ એક્સરસાઈઝ કરો
જો તમે ઈચ્છો છો કે હાડકાં મજબૂત રહે તો આ માટે નિયમિત વજન ઉપાડવાની કસરત કરવી જોઈએ. આ માટે ચાલવું અને જોગિંગ કરવું જરૂરી છે, આ સિવાય સીડીઓ ચઢવાથી પણ હાડકાંની તંદુરસ્તી સુધરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow