હાડ થીજવતી ઠંડી હૅલ્થ માટે ખતરનાક! માત્ર હાર્ટ એટેક જ નહીં, બની શકો આ ગંભીર બીમારીઓના પણ ભોગ

હાડ થીજવતી ઠંડી હૅલ્થ માટે ખતરનાક! માત્ર હાર્ટ એટેક જ નહીં, બની શકો આ ગંભીર બીમારીઓના પણ ભોગ

હેલ્થ સાથે જોડાયેલી કઈ પરેશાની શિયાળામાં તમને ઘેરી શકે?

ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. ઘણી જગ્યાએ પારો ન્યુનત્તમ 1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એવામાં આરોગ્યનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. કડકડતી ઠંડીમાં સ્વાસ્થ્યને થોડુ નજરઅંદાજ કરવુ ભારે પડી શકે છે. ખાસ કરીને જે લોકો પહેલેથી જ બિમાર છે, એવા લોકોએ વિશેષ સારસંભાળની જરૂર છે. હાર્ટથી લઇને શ્વાસના દર્દીઓ માટે આટલી ઠંડી ખતરનાક સાબિત થઇ શકે છે. તો સામાન્ય માણસને પણ શિયાળામાં આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ હેલ્થ સાથે જોડાયેલી કઈ પરેશાની આ શિયાળામાં ઘેરી શકે છે અને કેવીરીતે કરશો તેનાથી બચાવ.

હાઈ બીપી અને હાર્ટના દર્દી રહે સાવધાન

ઠંડીનો ખરાબ પ્રભાવ સૌથી પહેલા હાઈ બીપી અને દિલના દર્દીઓ પર થાય છે. ઠંડીમાં રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે, જેના કારણે શરીરમાં લોહીનો પ્રભાવ વધારે ધીમો થવા લાગે છે. જેનાથી તેમને હાર્ટ એટેક આવવાની સૌથી વધુ સંભાવના રહે છે. હાર્ટના દર્દીઓને શિયાળાની સિઝનમાં ખાસ કરીને બચાવ કરવા અને પોતાને ગરમ રાખવાની જરૂર હોય છે. જેનાથી લોહીનો પ્રવાહ ઓછો ના થાય.

થઇ શકે છે પેરાલિસિસ

શિયાળામાં લકવા મારવાના કેસ વધી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓમાં આ જોખમ વધુ જોવા મળે છે. સ્કિનની નીચે રહેલી લોહીની નળીઓ ઠંડીના કારણે સંકોચાવા લાગે છે. જેના કારણે મગજમાં લોહી ઓછુ પહોંચે છે અને લકવા થવાનો ડર રહે છે. સામાન્ય સ્વસ્થ માણસ પણ શિયાળાની સિઝનમાં લકવાનો શિકાર થઇ શકે છે. જરૂરી છે કે પોતાને ઠંડીથી બચાવીને રાખો.

શ્વાસ લેવામાં તકલીફ

ઠંડી અને અસ્થમાના દર્દીઓ માટે પરેશાની વધારનારું રહે છે. પોતાને ઠંડીમાંથી બચાાવવા માટે લોકો ઘરમાં કેદ થાય છે અને બારી-દરવાજા પણ ખોલતા નથી. એવામાં અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો બહારની હવામાં પણ ભેજનો અભાવ હોય છે, જે ફેફસાને સારી રીતે કામ કરવા દેતી નથી અને અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી વધી જાય છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow