માત્ર 5 રૂ.માં કંટ્રોલમાં આવશે બ્લડ સુગર, બસ ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક ડ્રિંક

માત્ર 5 રૂ.માં કંટ્રોલમાં આવશે બ્લડ સુગર, બસ ઘરે જ બનાવી લો આ આયુર્વેદિક ડ્રિંક

​​​​​​​શું તમને પણ છે ડાયાબિટીસ?

આજકાલ તો જાણે ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે, જેનાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે.  

ડાયાબિટીસ કે જેને શુગર કે મધુમેહ પણ કહેવામાં આવે છે, એક એવી બીમારી છે જેને કંટ્રોલ કરી શકાય છે, પરંતુ તેને નાબુદ કરવી અસંભવ છે. આ જીવનશૈલી સાથે જોડાયેલ બીમારી છે જેમાં ઇન્સ્યુલિન બનવાથી તકલીફ પડે છે અને શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે.  

ઘણા લોકો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે દવાઓ લે છે અને ઘણા લોકો આયુર્વેદિક પ્રકારોથી બ્લડ શુગર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. જોવા જઈએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમે આયુર્વેદિક દવાઓ અને ઘરેલૂ ઉપચારોને પણ અપનાવી શકો છો. આવો એક આયુર્વેદિક ઉપચાર છે કોથમીરનું પાણી.

કોથમીર આમ તો તમે શાકભાજીમાં મસાલા તરીકે ઉપયોગમાં લો છો. સૂકી કોથમીર પાચન માટે સારી છે જ્યારે લીલી કોથમીરનાં પાણીનાં ઉપયોગથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે.  

કોથમીરનાં પાણીનું સેવન રહેશે ફાયદાકારક

આયુર્વેદ કહે છે કે સવારે ખાલી પેટ લીલી કોથમીરનાં પાણીથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. ખાસકરીને બ્લડ શુગર તો કંટ્રોલમાં રહે જ છે. લીલી કોથમીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. લીલી કોથમીર બોડીમાંથી શુગરનાં સ્તરને ઓછું કરવામાં સહાયક બને છે અને તેના સેવનથી ઇન્સ્યુલિનની માત્રા વધવા લાગે છે. આ જ કારણે શરીરમાં શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે. એટલા માટે કોથમીર ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે તમને જો બ્લડ શુગર લેવલ લો છે, તો કોથમીરનું પાણી ન લેવું જોઈએ, આમ કરવાથી બ્લડ શુગર લેવલ વધારે નીચે આવી જાય છે અને બીમારી વધી શકે છે.

આ સાથે જ વજન ઘટાડવા માટે પણ કોથમીરનાં પાણીનો કોઈ વિકલ્પ નથી. રોજ સવારે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને વજન ઉતારવામાં મદદરૂપ બને છે. થાઈરોઈડનાં દર્દીઓ માટે કોથમીરનું પાણી અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

કેવી રીતે તૈયાર કરવું કોથમીરનું પાણી?

  • લીલી કોથમીર લઇ આવો
  • તેને ધોઈને સાફ પત્તાઓ અલગ કરી લો અને બે ચમચી પાણી સાથે મિક્સરમાં પીસી લો.
  • હવે આ મિશ્રણને એક ગ્લાસ પાણીમાં લઈને તેને ઉકાળો.
  • થોડી વાર ઉકાળ્યા બાદ તેને ગ્લાસમાં લઇ લો.
  • હવે સ્વાદ અનુસાર, કાળું નમક અને લીંબુ નાંખીને પીવો.

કોથમીરનાં પાણીથી પાચન પણ સારું થાય છે. પરંતુ ધ્યાન રાખવું પડશે કે સામાન્ય રીતે બ્લડ શુગર તમને કેટલું રહે છે, તે જાણ્યા બાદ ડોક્ટરની સલાહથી જ સેવન કરો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow