ખૂબ જ ફાયદાકારક છે કાળી હળદર, તેના સેવનથી સ્વાસ્થ્યને થશે આ ગજબના 4 ફાયદા

ખૂબ જ ફાયદાકારક છે કાળી હળદર, તેના સેવનથી સ્વાસ્થ્યને થશે આ ગજબના 4 ફાયદા

ભારતમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે પીળી હળદરનો ઉપયોગ ન કર્યો હોય. આ આપણા કિચનનો એક મહત્વ પૂર્ણ ભાગ છે. તેના વગર કોઈ પણ સારી ડિશ અધુરી દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય કાળી હળદર વિશે સાંભળ્યું છે? જો નહીં તો અમે આજે આ મસાલા વિશે તમને જણાવીશું.

ક્યાં મળે છે કાળી હળદર?
કાળી હળદર મુખ્યત્વે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચા માટે પણ કોઈ દવાથી ઓછું નથી. ચાલો જાણીએ કે તે આપણા માટે કેવી રીતે ઉપયોગી છે.

કાળી હળદરના 4 જબરદસ્ત ફાયદા
જલ્દી ભરાઈ જશે ઘા
ક્યાંક છોલાવવા અથવા વાગવા માટે આપણે ઘણા પ્રકારની સ્કિન ક્રિમનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો તમે આયુર્વેદ સારવાર ઇચ્છતા હોવ તો ઇજાગ્રસ્ત વિસ્તાર પર કાળી હળદરની પેસ્ટ લગાવો. આમ કરવાથી ઘાવ ઝડપથી રૂઝાય છે

પાચન તંત્ર થશે સારૂ
કાળી હળદરનો ઉપયોગ પેટની સમસ્યાઓ માટે કરવામાં આવે છે કારણ કે તે પાચનને સુધારવાનું કામ કરે છે. જો કોઈને પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા હોય તો આ મસાલો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે કાળી હળદરનો પાવડર તૈયાર કરો અને તેને પાણીમાં મિક્સ કરીને પીવો.

સ્કિન માટે ફાયદાકારક
પીળી હળદરની જેમ કાળી હળદર પણ ત્વચા માટે ફાયદાકારક છે. આ મસાલાને મધમાં મિક્સ કર્યા પછી ચહેરા પર લગાવશો તો જબરદસ્ત ગ્લો આવશે. આ સિવાય ચહેરાના ડાર્ક સ્પોટ્સ અને પિમ્પલ્સથી પણ તમને છુટકારો મળશે.

સાંધાના દુખાવામાં મળશે રાહત
વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય વાત છે, જ્યારે દુખાવો વધવા લાગે ત્યારે એન્ટીઑકિસડન્ટ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર કાળી હળદરની પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો, તેનાથી સોજામાં પણ રાહત મળશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow