બિશ્નોઈ સાથી ખેલાડી સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો

બિશ્નોઈ સાથી ખેલાડી સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. ઇકાના સ્ટેડિયમ એલએસજીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈના બેટ્સમેનો 20 ઓવરમાં 5 વિકેટે 172 રન જ બનાવી શક્યા હતા.

આ મેચમાં ઘણી રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી, જ્યારે કેટલીક મોમેન્ટ્સથી ફેન્સનું દિલ તોડી ગયું હતું. લખનઉના કેપ્ટન કૃણાલ પંડ્યા અને રવિ બિશ્નોઈ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તો સૂર્યકુમાર યાદવ વિકેટની પાછળ સ્કૂપ શોટ રમતા યશ ઠાકુરના બોલ પર બોલ્ડ થયો હતો.

લખનૌ માટે કાયલ મેયર્સની જગ્યાએ ઓપનિંગ કરવા આવેલા દીપક હુડ્ડાને બીજી ઓવરમાં જ જીવનદાન મળ્યું, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. હૂડાએ ક્રિસ જોર્ડનનો પહેલો જ બોલ તેની પાછળના ફાઇન લેગ તરફ માર્યો અને બોલ હવામાં ઉડી ગયો. ફિલ્ડિંગ ટિમ ડેવિડ 28 મીટર દોડીને આવ્યો, તે પણ બોલ સુધી પહોંચ્યો, પરંતુ છેલ્લી મોમેન્ટે બોલ તેના હાથમાંથી સરકી ગયો.

આ પછી, ટિમ ડેવિડે ત્રીજી ઓવરમાં બેહરનડોર્ફના પહેલા જ બોલ પર મિડ-ઓન પર હુડાનો કેચ પકડ્યો.

મુંબઈના બોલર જેસન બેહરનડોર્ફે બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. બેહરનડોર્ફે મેચની ત્રીજી ઓવરના પહેલા બોલ પર હુડાને આઉટ કર્યો હતો. પછી બીજા જ બોલ પર બેટિંગ કરવા આવેલા માંકડની વિકેટ લીધી. બેહરનડોર્ફ માંકડને લેન્થ બોલ ફેંકે છે. માંકડ બોલને સમજી શક્યો ન હતો અને બોલ બેટની કિનારી સાથે અથડાયો અને સ્ટમ્પની પાછળ ઉભેલા વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં ગયો.

એલએસજીના કેપ્ટન કૃણાલ પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. પંડ્યા 16મી ઓવરમાં 49 રન પર બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કૃણાલ ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લેવા માટે દોડ્યો હતો, જે દરમિયાન તેના પગના સ્નાયુઓમાં ખેંચ આવી ગઇ હતી. જેના કારણે કૃણાલ રિટાયર્ડ હર્ટ થયો અને ડ્રેસિંગ રૂમમાં ગયો. જોકે, કૃણાલે બીજી ઇનિંગમાં કમબેક કર્યું અને આખી 4 ઓવર ફેંકી દીધી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow