'બિગ બોસ' હાઉસમાં કુનિકા તાન્યા પર ભડકી, કહ્યું- 'પપ્પાની પરી બનવાનું બંધ કરી દે'

'બિગ બોસ' હાઉસમાં કુનિકા તાન્યા પર ભડકી, કહ્યું- 'પપ્પાની પરી બનવાનું બંધ કરી દે'

'બિગ બોસ 19' સતત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘરના બે સ્પર્ધકો, તાન્યા મિત્તલ અને કુનિકા સદાનંદ, ઉગ્ર દલીલો કરતા જોવા મળે છે. મામલો એટલો વધી ગયો કે, કુનિકાએ તાન્યા પર વ્યક્તિગત ટિપ્પણી કરી અને કહ્યું, તારી માતાએ તને સંસ્કાર આપ્યા નથી.

વીડિયોમાં તાન્યા મિત્તલ ભીંડા કાપતી જોઈ શકાય છે. પરંતુ ભીંડામાં જીવાત જોતાંની સાથે જ તેણે ચીસો પાડી અને કહ્યું કે, તેણે પહેલીવાર ભીંડામાં જીવાત જોઈ છે. કુનિકાએ તાન્યાના નિવેદન પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, જો તું રસોડામાં થોડો વધુ સમય રહીશ, તો તને ઘણું શીખવા મળશે.'

તેના જવાબમાં તાન્યાએ કહ્યું કે, 'તમારા બધાં મહિલા સશક્તિકરણ ફક્ત રસોડામાંથી જ કેમ શરૂ થાય છે?' આના પર કુનિકા તેને ચૂપ રહેવા કહે છે. તાન્યા આગળ કહે છે કે, 'જો તને રસોઈ બનાવતા નથી આવડતી, તો તારી માતાએ તને સંસ્કાર આપ્યા નથી.' આના પર તાન્યાએ કહ્યું કે, 'તમે એવા ગંભીર નિવેદનો આપો છો કે, પપ્પાની રાજકુમારી બનવાનું બંધ કરી દે.' આના પર કુનિકા કહે છે, 'હા, તમે એવા જ છો.'

કુનિકાએ આગળ કહ્યું, 'જ્યારે પણ તમે રસોડામાં કંઈક કરો છો, ત્યારે તમે એવું વર્તન કરો છો કે, જાણે તમે પહેલી વાર કરી રહ્યા છો. તે બીજાઓને નીચા બતાવવાનો પ્રયાસ કરે છે.'​​​​​​​ આના પર તાન્યા એટિટ્યૂડ દેખાડીને કહે છે, 'નોમિનેશન આવવા દો, પછી હું તમને દેખાડું છું.'

બીજા વીડિયોમાં, પ્રણિત મોરે અને કુનિકા સદાનંદ વાત કરતા જોઈ શકાય છે. કુનિકા પ્રણિતને કહે છે કે, 'તું આવીને ઘરની દરેક બાબત વિશે મારી સાથે વાત કરી શકે છે, પરંતુ જ્યારે તું તાન્યા વિશે વાત કરવા આવે, ત્યારે તેના પર ઓછામાં ઓછું 80% ડિસ્કાઉન્ટ લાવવાનું ભૂલતો નહીં કારણ કે તે દરેક વાતને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરે છે.'

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow