ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જળમગ્ન

ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જળમગ્ન

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો. હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે ભક્તિના ઘોડાપૂર વચ્ચે શ્રદ્ધાનો અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ઘૂટણસમા પાણીમાં પણ અંબાજી આવી રહ્યા છે. ત્યારે જુદાજુદા આઠ દૃશ્યોમાં જોઈ લો અંબાજીના વરસાદ વચ્ચે શ્રદ્ધાનો મહાસાગર. ત્યારે જુઓ વરસાદી માહોલમાં ભક્તિના ઘોડાપૂરના વીડિયોઝ.

ભારે વરસાદના કારણે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ભક્તો ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈને દર્શનાર્થે જતા જોવા મળ્યા. અંબાજીના માર્ગો પર વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા, જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow