કોઈ કામની શરૂઆત કરતા પહેલાં ઘર-પરિવારના લોકોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ

કોઈ કામની શરૂઆત કરતા પહેલાં ઘર-પરિવારના લોકોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ

કોઈ પણ નાનું કે મોટું કામ કરવાની શરૂઆત કર્યા પહેલાં ઘરપરિવાર અને સમાજના મોટા લોકોના આશીર્વાદ અને સલાહ અચૂક લેવી જોઈએ, આ કરવાથી કામ કરવાની સાહસની સાથે-સાથે સકારાત્મકતા મળે છે. આ વાત આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ છીએ.

આ રામાયણની એક ઘટના છે. સીતાની શોધ કરતી વખતે હનુમાનજી, જામવંત, અંગદ અને અન્ય વાનરો સંપતી પાસે પહોંચ્યા હતાં. સંપતિએ તે બધાને કહ્યું હતું કે દેવી સીતા લંકામાં જ છે.

આ બાદ હનુમાનજી, જામવંત, અંગદ અને તમામ વાનરો દક્ષિણ દિશામાં આવેલા સમુદ્ર કિનારે પહોંચી ગયા હતાં. ત્યાંથી લંકા સુધીનું અંતર લગભગ સો યોજન હતું. આટલો મોટો દરિયો પાર કરીને લંકા પહોંચવું પડ્યું હતું. વાનરોને સમસ્યા એ હતી કે સમુદ્ર પાર કરીને લંકા કોણ જશે?

પહેલા તો જામવંતે કહ્યું કે હું હવે ઘરડો થઈ ગયો છું અને મારા માટે એ શક્ય નથી કે હું સમુદ્ર પાર કરીને લંકા પહોંચીને સીતાની શોધ કરીને પરત ફરી શકું.

અંગદે કહ્યું કે, "હું લંકા જઈ તો શકું છું, પરંતુ મને શંકા છે કે હું પાછો આવીશ.?

તે સમયે હનુમાનજી શાંતિથી બેઠા હતા. જામવંતે હનુમાનજીને પ્રેરણા આપીને કહ્યું કે તમારો જન્મ રામકજ માટે જ થયો છે, તમે ચૂપ કેમ છો? તમે લંકા જાઓ અને દેવી સીતાને શોધ્યા પછી પાછા આવો. જામવંતથી પ્રેરાઈને હનુમાનજીએ લંકા જવાની હા પાડી. તેમણે જામવંતને પૂછ્યું, "મને કહો, મારે લંકામાં શું કરવાનું છે અને શું નહીં?"

જામવંતે હનુમાનજીને કહ્યું કે, દેવી સીતાની શોધ કર્યા પછી જ તમારે પાછા ફરવું જોઈએ. તમારે લંકામાં યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. તમે પાછા આવો અને પછી શ્રીરામ રાવણનો અંત લાવશે. હનુમાનજીએ જામવંતજીની સલાહ ધ્યાનથી સાંભળી હતી. આ પછી તેમણે જામવંતને પ્રણામ કર્યા હતા તેમના આશીર્વાદ લીધા. અન્ય વાનરોને સલામ કર્યા. આ પછી હનુમાનજી લંકા તરફ ગયા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow